કૃષ્ણા રાજકપૂરને અમિતાભ, કાજોલ, સંજય દત્ત સહિત આ સેલિબ્રિટીએ આપી શ્રદ્ધાંજલિ, જુઓ તસવીરો
87 વર્ષીય કૃષ્ણા રાજ કપૂરને ઓગસ્ટમાં સાઉથ મુંબઇ સ્થિત એક હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા. થોડાક દિવસો બાદ તેમને ડિસ્ચાર્જ પણ કરી દેવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી તેમની તબિયત બરાબર ન હતી અને હોસ્પિટલમાં સારવાર ચાલતી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
કપૂર પરિવારના જમાઈ સૈફ અલી ખાન.
મુંબઇઃ બોલીવુડના દિગ્ગજ અભિનેતા અને નિર્દેશક રાજ કપૂરની પત્ની કૃષ્ણા રાજ કપૂરનું 87 વર્ષની વયે સોમવારે સવારે નિધન થયું હતું. આ દુઃખદ સમાચાર આવતા જ બોલીવુડમાં શોકની લાગણી ફરી વળી હતી. કૃષ્ણા રાજકપૂરના નિધનના સમાચાર સાંભળી બોલીવુડ સેલિબ્રિટી તેમના નિવાસસ્થાને શ્રદ્ધાંજલિ આપવા આવી પહોંચ્યા હતા.
કૃષ્ણા રાજ કપૂરના પુત્ર અને અભિનેતા રણધીર કપૂરે મીડિયાને જણાવ્યું કે, કાર્ડિયેક અરેસ્ટ (cardiac arrest)ના કારણે આજે સવારે 5 વાગે મારી માતાનું નિધન થઇ ગયુ.
અમિતાભ બચ્ચન, સંજય દત્ત, કાજોલ, રાની મુખર્જી, આલિયા ભટ્ટ, કરન જોહર સહિત અનેક સેલિબ્રિટીએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
અમિતાભ બચ્ચન પુત્રી શ્વેતા નંદા સાથે કૃષ્ણા રાજકપૂરના અંતિમ દર્શનાર્થે આવ્યા હતા.
કૃષ્ણા રાજ કપૂરે વર્ષ 1946માં રાજકપૂર સાથે લગ્ન કર્યા હતા. બન્નેના ત્રણ પુત્રો, રણધીર કપૂર, ઋષિ કપૂર અને રાજીવ કપૂર તથા બે પુત્રીઓ રિતૂ નંદા અને રીમા જૈન છે.