✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

Bigg Bossમાંથી બહાર નીકળ્યા બાદ અનુપ જલોટાએ જસલીન સાથે સંબંધને લઈને કર્યો મોટો ખુલાસો, જાણો વિગતે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  29 Oct 2018 12:00 PM (IST)
1

અનુપ જલોટા કહે છે કે જ્યારે આ સાંભળ્યું તો મારા મિત્ર અને સંબંધી ચોંકી ગયા. મારા ઘરવાળા જસલીનને જાણતા પણ ન હતા. ઉપરાંત જસલીન મથારુંના પિતા કેસરી મથારુંને પણ તેની જાણકારી ન હતી. અનુપ જલોટા કહે છે કે, હું ઘરની અંદર પણ મેં અનેક વખત કહ્યું કે આ મારી સ્ટુડન્ટ છે. જ્યારે બિગ બોસની અંદર ડેટ પર અનુપ જલોટાએ કહ્યું કે, આ બધું જ બિગ બોસની યોજના હતી. ઉપરાંત નોમિમેશન દરમિયાન ઝઘડો અને સીક્રેટ રૂમમાં નારાજગી પણ યોજના હતી.

2

અનુપ જલોટાએ વાતચીતમાં કહ્યું, 15 સપ્ટેમ્બરે જ્યારે હું પ્રીમિયરમાં પહોંચ્યો તો મેં શોમાં જણાવ્યું કે, જસલમીન મારી સ્ટૂડન્ટ છે. પરંતુ, જસલીને આવીને કહ્યું કે, અમે બન્ને રિલેશનશિપમાં છીએ. આ સાંભલીને હું ચોંકી ગયો. અનુપ કહે છે, લગભગ છ દિવસ પહેલા જસલીનને બોલાવીને મેકર્સે તેને કહ્યું હશે કે ગુરુ-શિષ્ય રિલેશનથી અમારો શો ચાલશે નહીં. એવામાં તમે એક અલગ કહાની જણાવો. તેણે જસલીનને સમજાવી હશે કે, તું કહે કે તમે બન્ને રિલેશનશિપમાં ચો. જસલને પ્રીમિયરમાં આ જ બોલ્યું હતું.

3

ઘરથી બહાર કર્યા બાદ મીડિયા સાથે વાતચીતમાં અનુપ જલોટાએ કહ્યું કે, જસલીન સાથે રિલેશનશિપ બિગ બોસ દ્વારા પ્લાન કરવામાં આવ્યા હતા. અનુપ કહે છે કે, શોના પ્રીમિયરમાં રિલેશનશિપની સાંભલીને હું પણ ચોંકી ગયો હતો. અનુપે બિગ બોસ સ્ક્રિપ્ટેડ હોવાનો પણ દાવો કર્યો છે.

4

મુંબઈઃ બિગ બોસ 12માં અનુપ જલોટા ઘરમાંથી બહાર થઈ ગયા છે. સીઝન 12ની શરૂઆતથી જ અનુપ જલોટા અને જસલીન મથારુંની જોડી સૌથી વધારે ચર્ચામાં રહી હતી. બિગ બોસના પ્રીમિયરમાં બન્નેએ રિલેશનશિપની વાત સ્વીકારી હતી.

5

એક જાણીતી વેબસાઈટ સાથે વાતચીતમાં અનુપે કહ્યું કે, જસલીનને આ શો માટે પ્રથમ ઓફર મળી. જસલીને મને કોન્ટેક્ટ કર્યો અને જણાવ્યું કે, મને બિગ બોસની ઓફર આવી છે. પરંતુ, તેણે કહ્યું કે, તમારે જોડીદાર તરીકે આવવાનું છે તો શું તમે મારી સાથે ચાલશો? અનુપ કહે છે કે મેં ના પાડી દીધી. ત્યાર બાદ તેણે પોતાના પિતા કેસરી મથારુને કહ્યું જે મારા સારા મિત્ર છે કે મને વાત કરે. મેં તેને પણ ના પાડી દીધી.

6

અનુપ જલોટા કહે છે કે, જસલીનના પિતાએ મને વારંવાર રિક્વેસ્ટ કરી, ત્યાર બાદ મેં શો માટે હા પાડી દીધી. જોકે, સોમાં જતા પહેલા અમે નક્કી કર્યું હતું કે, અમે ગુરુ શિષ્ય બનીને ઘરની અંદર જશું. અનુપ કહે છે કે, પ્રીમિયરના 6 દિવસ પહેલા શોના મેકર્સે જસલીનને બોલાવી. એવામાં હું અને જસલીનના ઘરવાળા તેનો કોન્ટેક્ટ ન કરી શક્યા.

  • હોમ
  • મનોરંજન
  • Bigg Bossમાંથી બહાર નીકળ્યા બાદ અનુપ જલોટાએ જસલીન સાથે સંબંધને લઈને કર્યો મોટો ખુલાસો, જાણો વિગતે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.