બોલિવૂડ ડિરેક્ટર અનુરાગ કશ્યપે ટ્વીટ કરી કહ્યું, વાત બહુ આગળ નીકળી ગઈ છે. હવે વધુ ચૂપ રહી શકું તેમ નથી. આ સરકાર સ્પષ્ટ રીતે ફાસીવાદી છે. જે લોકો થોડું ઘણું પણ પરિવર્તન લાવી શકે છે, તેઓ પૂરી રીતે ચૂપ છે, આ વાતથી મને વધુ ગુસ્સો આવે છે.
બોલિવૂડ ડિરેક્ટર અનુરાગ કશ્યપે છેલ્લી ટ્વીટમાં કહ્યું હતું, તમને ખુશીઓ તથા પ્રગતિ મળે. આ મારી આખરી ટ્વીટ છે, કારણ કે હું ટ્વિટર છોડી રહ્યો છું.