અર્ચના પૂરણ સિંહે આ વાતનો સ્પષ્ટ ઇન્કાર કર્યો છે કે તેમણે શોમાં નવજોત સિંહ સિદ્ધુની જગ્યા લીધી છે. ખબર હતી કે પુલવામા આતંકી હુમલા બાદ વિવાદિત નિવેદનને કારણે સિદ્ધુને શોમાંથી હટાવી દેવામાં આવ્યા છે. આ પહેલાં સિદ્ધુએ પણ શોમાંથી તેને હટાવી દેવાની વાત પર ઇન્કાર કર્યો હતો અને હવે અર્ચના પૂરણ સિંહે પણ તેવી જ વાત કરી છે.
સોની એન્ટરટેનમેન્ટ ટેલીવિઝને રવિવારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી જેમાં સિદ્ધુને હટાવવાની ખબરની વચ્ચે અર્ચનાનું સ્વાગત કર્યુ હતું. જોકે એ સ્પષ્ટ નથી કે અર્ચનાએ સિદ્ધિુની જગ્યા લીધી છે કે નહીં. પણ આ હાલમાં તો બંને આ વાતનો સ્પષ્ટ ઇન્કાર કરી રહ્યાં છે.