સલમાને આસારામને આપ્યું ક્યું વચન? જેલમાં સલમાન મામલે કેમ આસારામ ભડકેલા?

બેરેકમાં સલમાનને મળવા, ઓટોગ્રાફ લેવા માટે જેલ સુપ્રિટેન્ડેન્ટ, સંત્રી અને સુરક્ષા કર્મચારીઓની ભીડ આસારામને બિલકુલ ગમી ન હતી. તેણે જેલ કર્મચારીઓને કહ્યું કે, હું પાંચ વર્ષથી અહીં છું પણ તમે બધા મને મળવા તો ક્યારેય નથી આવ્યા, આ સેલિબ્રિટી છે એટલે મળવા જઇ રહ્યા છે.
સગીરા સાથે બળાત્કારના કેસમાં આસારામ 5 વર્ષથી આ જ જેલમાં બંધ છે. આસારામ સામેના એક કેસમાં 25 એપ્રિલે કોર્ટ ફેંસલો સંભળાવશે. ઉલ્લેખનીય છે કે, સલમાને કોર્ટને કાંકણી શિકાર કેસમાં દોષી જાહેર કરીને 5 વર્ષની સજા સંભળાવી છે. જેલમાં 50 કલાક રહ્યા બાદ શનિવારે તેને જામીન મળ્યા હતા
તેમમે ઉમેર્યું કે, સલમાન ખાન મારો મહેમાન હતો અને મારી સાથે વાત કર્યા પછી સલમાન મારી વાત માની ગયા છે. હવે તેઓ સિગરેટ છોડશે. સલમાન કોફી વધુ પીવે છે, તે પણ છોડી દેશે. આ પહેલાં જેલમાં સલમાનને મળી રહેલી વીઆઇપી ટ્રીટમેન્ટ જોઇને આસારામ ભડકી ગયો હતો.
શનિવારે સુનાવણી માટે આસારામને કોર્ટ લાવવામાં આવ્યો તો ગાડીમાંથી ઉતરતા જ તેમણે પૂછ્યું કે સલમાનનું શું થયું? તેમને જણાવવામાં આવ્યું કે સલમાનને તો જામીન મળી ગયા. ત્યારબાદ કોર્ટરૂમમાંથી પાછા આવતા આસારામ બોલ્યા, સલમાનને જામીન મળી ગયા, સારું થયું. કોઇપણ બહાર જાય છે તો સારી વાત છે.
જેલની બહાર આવેલા સલમાન ખાનને આસારામે પોતાનો મહેમાન ગણાવ્યો. સલમાન શનિવારે જેલની બહાર આવ્યો અને શનિવારે જ આસારામની કોર્ટમાં પેશી હતી. કોર્ટમાં હાજર થયેલા આસારામે કહ્યું કે સલમાન ટૂંક સમયમાં સિગરેટ અને કોફી પીવાનું છોડી દેશે. તેણે મારી આ વાત માનીને કોફી-સિગારેટ છોડવા વચન આપ્યું છે.
જોધપુર: કાળિયાર શિકાર કેસમાં 5 વર્ષની સજા થયા પછી સલમાને ખાને જોધપુર સેન્ટ્રલ જેલમાં બે દિવસ જેલની હવા ખાવી પડી. જેલમાં સલમાન ખાન અને આસારામને એક જ બેરેકમાં રખાયા હતા. આ દરમિયન બંને વચ્ચે શું વાતચીત થઈ તે ખબર નથી પણ સલમાન અંગે આસારામે ચોંકાવનારો દાવો કર્યો છે.