આ વ્યક્તિને 2 વર્ષ પહેલા જ ખબર હતી 'કટપ્પાએ બાહુબલીને શા માટે માર્યો...?'
સુશાંતે પોતાના જવાબમાં લખ્યું હતું, મારું માનવું છે, અમરેન્દ્ર બાહુબલી અને ભલ્લાલદેવને એક જ યુવતી દેવસેના સાથે પ્રેમ થઈ જાય છે. દેવસેના ભલ્લાલદેવની જગ્યાએ અમરેન્દ્રને તેના દયાળુ સ્વભાવને કારણે પસંદ કરે છે. પોતાનું રાજ્ય અને પ્રેમિકા ખોવાના કારણે ભલ્લાલેવ નિરાશ થઈ જાય છે. પોતાના પિતાની સાથે મળીને ભલ્લાલદેવ અમરેન્દ્ર વિરૂદ્ધ ષડયંત્ર બનાવે છે અને રાજમાતા શિવગામીને કોઈપણ રીતે મનાવી લે છે અને તે અમરેન્દ્ર બાહુબલીને મારવાનો આદેશ આપે છે. જોકે કટપ્પાને અમરેન્દ્ર પસંદ હોય છે. તેમ છતાં તે રાણીનો આદેશ માને છે અને બાહુબલીને મારે છે. તેને આ વાતનો સમગ્ર જીવન પસ્તાવો રહે છે અને પોતાની ભૂલને સુધારવા માટે એક તક શોધે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ યુવક કરોડો રૂપિયાના સવાલનો જવાબ જાણતો હતો અને તેનો જવાબ તેણે ક્યૂરા (Quora) પર આપ્યો હતો. ક્યૂરા પર આ સવાલ પોસ્ટ કરવામાં આવ્યો કે 'કટપ્પાએ બાહુબલીને શા માટે માર્યો?' આ સવાલના જવાબમાં અનેક જવાબ આવ્યા પરંતુ સુશાંત દહલે 2 વર્ષ પહેલા આપેલ જવાબ એકદમ સ્પષ્ટ અને ચોક્કસ હતો.
આ ફિલ્મના સૌથી મોટા સવાલ 'કટપ્પાએ બાહુબલીને શા માટે માર્યો...?'નો જવાબ આખરે લોકોને મળી ગયો. પરંતુ જે રહસ્યને 2 વર્ષ સુધી દબાવીને રાખવામાં આવ્યું અને આ કહાના ટ્વિસ્ટને જાળવી રાખવા માટે ફિલ્મના ડાયરેક્ટર રાજામૌલીએ ખૂબ મહેનત કરી. પરંતુ એક યુવકે 2 વર્ષ પહેલા જ અંદાજ લગાવી લીધો હતો કે આખરે કટપ્પાએ બાહુબલીને શા માટે મારશે. સાંભળવામાં આ અજીબ લાગશે પરંતુ સુશાંત દહલ નામના એક વ્યક્તિએ જુલાઈ, 2016માં જ પોતાના અંદાજમાં ફિલ્મની પરફેક્ટ સ્ટોરી જણાવી દીધી હતી.
નવી દિલ્હીઃ બાહુબલી 1 રિલીઝ થયા બાદથી જ દરેક વ્યક્તિ એ જાણવા ઉત્સુક હતી કે આખરે કટપ્પાને બાહુબલીએ શા માટે માર્યો અને આ સવાલનો જવાબ જાણવા માટે બધા પ્રયત્ન કરી રહ્યા હતા. 2015માં રિલીઝ થયેલ આ ફિલ્મનો બીજો ભાગ 2 વર્ષ બાદ 28 એપ્રિલના રોજ રિલીઝ થયો અને રિલીઝ બાદથી જ આ ફિલ્મ લોગોના વખાણ કરવાની સાથે કરોડોની કમાણીનો રેકોર્ડ પણ બનાવી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -