19 વર્ષ બાદ ‘કૌન બનેગા કરોડપતિ’ શોમાં થશે મોટો ફેરફાર, જાણો વિગતે
abpasmita.in | 08 Aug 2019 02:42 PM (IST)
કૌન બનેગા કરોડપતિની 11મી સીઝનમાં તેની આઈકોનિક ટ્યૂન બદલાઈ જશે.
મુંબઈઃ ટીવીના સૌથી ચર્ચિત ભારતીય ગેમ શો કૌન બનેગા કરોડપતિ (કેબીસી)ની 11મી સીઝનની શરૂઆત 19 ઓગસ્ટના રોજથી શરૂ થવા જઈ રહી છે. આ વખતે શોમાં દર વખતની જેમ નવી નવી વસ્તુઓ જોવા મળશે. પરંતુ પ્રથમ વખત 19 વર્ષથી શરૂ કેબીસીમાં એક મહત્ત્વનો ફેરફાર થવા જઈ રહ્યો છે અને એ છે કેબીસીની આઈકોનિક ટ્યૂન. કૌન બનેગા કરોડપતિની 11મી સીઝનમાં તેની આઈકોનિક ટ્યૂન બદલાઈ જશે. રિપોર્ટ મુજબ, કેબીસીના 19 વર્ષના સફરમાં આ ફેરફાર પહેલીવાર કરવામાં આવશે. કેબીસીની ધૂનમાં જાણીતા મ્યુઝિક કમ્પોઝર અજય-અતુલ ખાસ ટચ આપવાના છે. આ વિષે વાત કરતાં મ્યુઝિક કમ્પોઝર અજય-અતુલે કહ્યું, KBC સાથે જોડાવું અમારા માટે સન્માનની વાત છે. અજય-અતુલે કહ્યું, “KBCની ટ્યૂનને ખાસ ટચ આપવાની ઓફર અમારી પાસે આવી તો અમે વિચારી નહોતા શકતા કે શું કરીએ. એ જ વિચાર આવતો હતો કે આ ધૂન લાખો-કરોડો લોકોના મગજમાં પહેલાથી જ છે. તેમાં શું ફેરફાર કરી શકીશું. અમે ખુશ છીએ કે, ટ્યૂનમાં અમે કંઈક નવું ઉમેરીશું. ઓર્કેસ્ટ્રાના સ્વર થકી ઓરિજિનલ કેબીસી ટ્યૂનને વધારે શાનદાર બનાવવામાં આવી છે. અમે આશા રાખીએ છીએ કે, ઓડિયન્સને જૂની ધૂન ગમી હતી એવી રીતે આ પણ પસંદ આવે.”જણાવી દઈએ કે, મ્યુઝિક કમ્પોઝર અજય-અતુલને મરાઠી ફિલ્મ સૈરાટ દ્વારા ઓળખ મળી. ‘