જોધપુરના શિકાર કેસમાં સલમાન ખાન દોષિત. બીજા ફિલ્મ સ્ટાર્સનું શું થયું ? જાણો વિગત
2 ઓક્ટોબર 1998ના રોજ ગુડા બિશ્નોઇના રહેનારા લોકોએ વન વિભાગની ઓફિસ આવીને સલમાન ખાન તથા ફિલ્મ સ્ટાર્સે બે કાળિયારનો શિકાર કર્યો હોવાનો આક્ષેપ મૂકીને ફરિયાદ કરી હતી.
ગુડા બિશ્નોઇના લોકો ફટાકડાના અવાજને કારણે ચોંકી ઉઠ્યા હતા અને ગામની આસપાસ એક મારૂતિ જિપ્સીની શંકાસ્પદ મૂવમેન્ટ જોવા મળી હતી. આ જીપ્સી સ્ટાર્સની હતી તેવો ખુલાસો થયો હતો.
મુંબઇઃ રાજસ્થાનના જોધપુરની કોર્ટે કાળિયારના શિકાર મામલે ફિલ્મ સ્ટાર સલમાન ખાનને દોષિત જાહેર કર્યો છે. જ્યારે સલમાન ખાન સિવાયના બાકીના તમામ ફિલ્મ સ્ટાર્સ નિર્દોષ છૂટ્યા છે.
સૂરજ બડજાત્યાની ફિલ્મ હમ સાથ સાથ હૈના શૂટિંગ સમયે સલમાન ખાન તથા બીજા સ્ટાર્સ જંગલમાં શિકાર માટે ગયા હતા અને તેમણે કાળિયારનો શિકાર કર્યો હોવાના આરોપ હતા.
આ કેસમાં સલમાન ખાન ઉપરાંત. સૈફ અલી ખાન, નીલમ, સોનાલી બેન્દ્રે, તબુ સહિતના સ્ટાર્સ પણ આરોપી હતી. આ તમામ સ્ટાર્સને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે.