શ્રીદેવી જે ફિલ્મમાં કામ કરવાની હતી તે ફિલ્મમાં હવે બોલિવૂડની આ અભિનેત્રી જોવા મળશે!
શ્રીદેવીને રોલ સારો લાગ્યો એટલા માટે તેમણે આ ફિલ્મ માટે હા પણ પાડી હતી. જોકે એવું થઈ શક્યું નહીં.
જ્યારે કરણ જોહરે જાહન્વીને પોતાના પ્રોડક્શનથી લોન્ચ કરવાનો પ્લાન કર્યો હતો. તેના થોડા દિવસ બાદ તે શ્રીદેવીના ઘરે ગયા અને એક પ્રોજેક્ટ માટે જોડાવની ઓફર પણ કરી હતી.
હવે આ ફિલ્મમાં સંજય દત્તની હિરોઈન હશે માધુરી દીક્ષિત. વરુણ ધવન અને આલિયા ભટ્ટ પણ જોવા મળશે. ફિલ્મનું ડિરેક્શન અભિષેક વર્મન કરી રહ્યા છે.
હવે સમાચારો એવા છે કે માધુરીને શ્રીદેવીની જગ્યાએ રોલ ઓફર કરવામાં આવ્યો છે. જેના કારણે આ ફિલ્મમાં માધુરી દીક્ષિત જોવા મળે તેવી શક્યતા છે.
શ્રીદેવી અને કરણ જોહર પહેલી વખત સાથે કામ કરવાના હતા, પરંતુ હવે એવું થઈ શકશે નહીં. શ્રીદેવીની અચાનક થયેલા મૃત્યુથી ‘ધર્મા પ્રોડક્શન’નો આ પ્રોજેક્ટ અટકી ગયો છે.
મુંબઈ: શ્રીદેવી આજે હોય તો તેની આગામી ફિલ્મની તૈયારી ચાલી રહી હોત. તેમણે ધર્મા પ્રોડક્શનની એક ફિલ્મ ‘શિદ્દ્ત’નું શૂટિંગ શરૂ કરવાનું હતું. હવે એપ્રિલમાં આ ફિલ્મનું શૂટિંગ શરૂ થશે. આ ફિલ્મમાં બોલિવૂડ અભિનેત્રી શ્રીદેવીની જગ્યા હવે માધુરી દીક્ષિત જોવા મળશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. શ્રીદેવીનું દુબઈમાં બાથટબમાં ડૂબી જવાથી મોત થયું છે.