સોનુ નિગમે 3 વર્ષ પહેલા અઝાનને લઈ કરેલા ટ્વિટનો સ્ક્રીનશોટ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ટ્વિટમાં તેણે લખ્યું હતું, મંદિર હોય કે મસ્જિદ ધ્વનિ પ્રદૂષણ ન થવું જોઈએ. તેણે તેના ઘરની નજીકની મસ્જિદમાંથી આવી રહેલા અઝાનના અવાજનો વીડિયો શેર કરીને કહ્યું હતું, હું મુસલમાન નથી પરંતુ તેમ છતાં મારે રોજ સવારે અઝાન પર ઉઠવું પડે છે. ધર્મની આ જબરદસ્તીનો ભારતમાં અંત થવો જોઈએ. આ વાતને લઈ ત્યારે પણ ઘણો વિવાદ થયો હતો અને તેની સામે ફતવો બહાર પાડવામાં આવ્યો હતો.
આ વિવાદના ત્રણ વર્ષ બાદ સોનુ નિગમ દુબઈમાં ફસાયો છે તો અનેક લોકો ટ્વિટર પર દુબઈ પોલીસને ટેગ કરીને કહી રહ્યા છે કે, આ વ્યક્તિન અઝાનથી તકલીફ છે. મહેરબાની કરી તેનો ખ્યાલ રાખજો. ટ્વિટર પર થઈ રહેલી ધરપકડની માંગ બાદ સોનુ નિગમે તેનું ટ્વિટર એકાઉન્ટ ડિલીટ કરી દીધું છે.