સુપર સ્ટાર નાગા ચૈતન્ય અને સામંથાના ડિવોર્સના સમાચાર સાંભળી તેના ફેન્સ દુ:ખી થયા છે.  એક્ટ્રેસ સામંથાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ મુદ્દે જાહેરાત કરી હતી.. સામંથાએ લખ્યું હતું  કે, “પતિ-પત્ની તરીકેનો સંબંધ અમે હવે પૂરો કરીએ છીએ. અમે  સંબંધને અહીં ટૂંકાવાનું નક્કી કર્યું છે. અમે મિત્ર તરીકે હમંશા એકબીજા સાથે જોડાયેલા રહીશું”


સામંથા અને નાગા ચૈતન્યના ડિવોર્સ મુદ્દે કંગના રનોતે ચોંકાવનારૂં નિવેદન આપ્યું છે, બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનોત બોલ્ડ નિવેદન માટે જાણીતી છે. જે અવારનવાર આવા  વિવેદાસ્પદ અને બોલ્ટ સ્ટેટમેન્ટના કારણે ચર્ચામાં રહે છે.


બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનોતે સામંથા અને નાગા ચૈતન્યના કેસમાં પણ  આવું જ એક ચૌંકાવનારૂં નિવેદન આપ્યું છે. તેમણે એક્ટ્રેસ સામંથા અને નાગા ચૈતન્યના ડિવોર્સ માટે બોલિવૂડના જ એક  સુપર સ્ટારને જવાબદાર ગણાવ્યાય છે.


કંગના રનોતે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું કે, “સામંથા અને નાગા ચૈતન્યના 4 વર્ષના લગ્ન જીવનના અંત માટે  બોલિવૂડનો જ એક સુપર સ્ટાર જવાબદાર છે. મારૂ નિવેદન કદાચ જજમેન્ટલ અને રૂઢીવાદી લાગશે પરંતુ આ હકીકત છે. આવા લોકો મહિલાઓને કપડાની જેમ બદલે છે અને પછી તેને સારો મિત્ર બનાવી લે છે.



કંગનાએ પોતાની પોસ્ટમાં આગળ લખ્યું, '100 માંથી એક મહિલા જ આવા કેસમાં  દોષિત હોય  છે, અન્યથા મોટાભાગના છોકરાઓ જ જવાબદાર હોય છે. આ  સાઉથ અભિનેતાએ  4 વર્ષ જૂના લગ્ન તોડવાની વાત કરી છે, તેઓ લાંબા સમયથી સંબંધમાં હતા. તાજેતરમાં જ તે એક બોલિવૂડ સુપરસ્ટારના સંપર્કમાં આવ્યો હતો, જે છૂટાછેડા નિષ્ણાત છે, જેણે ઘણી સ્ત્રીઓ અને બાળકોનું જીવન બરબાદ કરી દીધું છે.તેમને આમિર ખાનનું નામ લીધા વિના જ તેમના તરફ ઇશારો કર્યો છે.


થોડા દિવસો પહેલા આમિર ખાને નાગાર્જુનના ઘરે યોજાયેલી પાર્ટીમાં પણ હાજરી આપી હતી. આવી સ્થિતિમાં કંગનાની પોસ્ટ જોઈને લાગે છે કે તેણે આમિર ખાન તરફ જ ઇશારો કર્યો છે.