મુંબઈ: વિદ્યા બાલન, ઈમરાન હાશમી અને નસીરૂદ્દીનની સુપરહિટ ફિલ્મ ધ ડર્ટી પિક્ચરમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી આર્યા બેનર્જીની લાશ તેના દક્ષિણ કોલકાતાના જોધપુર પાર્ક સ્થિત ઘરમાંથી સંદિગ્ધ પરિસ્થિતિમાં મળી છે.


જ્યારે એબીપી ન્યૂઝે લેક સિટી પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો તો એક અધિકારીએ નામ નહી છાપવાની શરતે આ ખબરની પુષ્ટી કરતા કહ્યું કે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે કે મોતનું કારણ શું છે. પોલીસ અધિકારીએ કહ્યું પોસ્ટમોર્ટમથી જ મોતનું યોગ્ય કારણ ખબર પડશે.

તેમણે હિંદીની કેટલીક ફિલ્મો જેમ કે લવ સેક્સ ઔર ધોખા, ડર્ટી પિક્ચરમાં કામ કર્યું છે. દેબુદત્તા ઉર્ફ આર્યની મોત કેમ થયું તેને લઈ પોલીસ હાલ તપાસ કરી રહી છે. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર નોકરાણી એ દિવસે તેના ઘરમાં કામ કરવા ગઈ હતી પરંતુ ઘણી વખત ફોન કરવા છતા કોઈ જવાબ નહોતો મળ્યો.

આર્યાનો ફ્લેટ અંદરથી બંધ હતો પોલીસ દરવાજો તોડી અંદર ગઈ હતી. પોલીસ અધિકારીઓએ આર્યાની બોડીને પથારી પર પડેલી જોઈ હતી. નાકમાંથી લોહી નિકળ્યું હતું અને મોઢામાંથી ઉલ્ટી થઈ હતી. લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી છે.