મુંબઇઃ મુંબઇમાંથી અત્યારે એક મોટા સમાચાર સામે આવ્યા છે, સમાચાર છે કે આખા મુંબઇમાં હાલ વીજળી નથી. હા, મુંબઇના કેટલાય વિસ્તારોમાં ગ્રિડ ફેલ થવાના કારણે આ સમસ્યા સામે આવી છે. આને લઇને સોશ્યલ મીડિયા પર સેલેબ્સ રિએક્શન્સ આપી રહ્યાં છે. આવામાં અભિનેત્રી કંગના રનૌતે સોશ્યલ મીડિયા પર જે ટ્વીટ કર્યુ છે, જે ખુબ ઝડપતી વાયરલ થઇ રહ્યું છે.


આ પછી કંગના રનૌતે મહારાષ્ટ્ર સરકાર પર કટાક્ષ કર્યો છે. તેને પોતાના ટ્વીટમાં લખ્યું છે- મુંબઇમાં પાવરકટ, આ બધાની વચ્ચે મહારાષ્ટ્ર સરકાર ક-ક-ક.... કંગના કરી રહી છે. ફેન્સ કંગનાના આ કટાક્ષભર્યા અંદાજને ખુબ લાઇક કરી રહી છે.

પાવરકટ પર મહાનાયક અમિતાભ બચ્ચને લોકોને ધૈર્ય રાખવાની સલાહ આપી છે. તેને લખ્યું- આખા શહેરમાં વીજળીનુ આઉટરેટ.... કઇ રીતે આ મેસેજ મેનેજ કરી રહ્યો છુ....ધૈર્ય રાખો... બધુ બરાબર થઇ જશે.