મલાઈકા અરોરા અને અર્જુન કપૂર આજે ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે એક વેબસાઈટે અહેવાલ આપ્યો કે મલાઈકા ગર્ભવતી છે. આ સમાચાર સાંભળીને બધા ચોંકી ગયા. જો કે આ સમાચાર વાયરલ થતા જ અર્જુન કપૂરે તરત જ પ્રતિક્રિયા આપી હતી. તે સમાચારનો સ્ક્રીનશોટ શેર કરીને તેણે વેબસાઈટ પર ક્લાસ લગાવ્યો અને ફરીથી અંગત જીવન પર આવી ટિપ્પણી કરવાની ના કહી દીધી હતી. અર્જુન બાદ હવે મલાઈકાએ આ અંગે પ્રતિક્રિયા આપી છે. મલાઈકાએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર અર્જુનનો સ્ક્રીનશોટ શેર કર્યો અને લખ્યું, 'આ ખૂબ જ ખરાબ વાત છે.' આ સાથે મલાઈકાએ વેબસાઈટને પણ ટેગ કર્યું છે. મલાઈકાની આ પોસ્ટ જોઈને સ્પષ્ટ થાય છે કે તે પણ આ સમાચારથી ખૂબ જ નારાજ છે અને તે પણ નથી ઈચ્છતી કે ભવિષ્યમાં આવું કોઈ હરકત ફરીથી થાય.


અર્જુને શું લખ્યું?


અર્જુને ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું, તમે આનાથી વધુ ખરાબ શું વિચારશો કે હંમેશા આવું જ વિચારતા રહેશો. આવા વિચારો ખૂબ જ ખરાબ કહી શકાય. તમે આવી ખબરો લખો છો કેમ કે અમે ઇગ્નોર કરતા રહીએ છીએ. આ બિલકુલ યોગ્ય નથી અને તમે ફરીથી અમારા અંગત જીવન સાથે રમવાની હિંમત ના કરતાં.


મલાઇકાએ શું કહ્યું?


જણાવી દઈએ કે મલાઈકા અને અર્જુન બંને પહેલા પોતાના સંબંધો વિશે વધુ વાત કરવાનું પસંદ કરતા ન હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી બંનેએ પોતાના સંબંધો વિશે ખુલીને વાત કરવાનું શરૂ કર્યું છે. આ સિવાય દરેક ટ્રોલિંગ પર બંને એકબીજાને પ્રોટેક્ટ પણ કરે છે. પણ આ વખતે અર્જુન પોતાના ગુસ્સા પર કાબુ ના રાખી શક્યો. અગાઉ, જ્યારે અભિનેત્રી મલાઈકાની ઉંમર અને એક બાળકની માતા હોવાને કારણે ટ્રોલ થઈ હતી ત્યારે પણ અર્જુન તેના સમર્થનમાં આવ્યો હતો.


પ્રોફેશનલ લાઈફ


મલાઈકાનો નવો શો મુવિંગ વિથ મલાઈકા આવી રહ્યો છે. મલાઈકાનો આ પહેલો શો છે જેના દ્વારા ફેન્સને તેના અંગત જીવન વિશે જાણવા મળશે. બીજી તરફ અર્જુનની વાત કરીએ તો તેની પાસે 3 ફિલ્મો રિલીઝ માટે તૈયાર છે જેમાં ડોગ, ધ લેડી કિલરનો સમાવેશ થાય છે.