લખનઉ: ફિલ્મ અભિનેતા અક્ષય કુમારે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી હતી.  અભિનેતા અક્ષય કુમારા રામ સેતુ ફિલ્મનું શૂટિંગ કરવા માટે ઉત્તરપ્રદેશ આવ્યા છે. આ ફિલ્મનું શૂટિંગ અયોધ્યામાં થશે. આ દરમિયાન અક્ષય કુમારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી હતી.  રામ સેતુ ફિલ્મનું નિર્દેશન 'પરમાણુ' અને 'તેરે બિન લાદેન'થી ચર્ચામાં આવેલા અભિષેક શર્મા કરી રહ્યા છે. 



અભિનેતા અક્ષય કુમારે અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસ અને નુસરત ભરુચા સાથે રામ સેતુ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે.  અયોધ્યામાં પણ ફિલ્મનું શૂટિંગ થશે.  આ ફિલ્મનું નિર્દેશન 'પરમાણુ' અને 'તેરે બિન લાદેન'થી ચર્ચામાં આવેલા અભિષેક શર્મા કરી રહ્યા છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર ફિલ્મના પુરાતત્વવિદ્ ભૂમિકામાં છે. ફિલ્મનું શૂટિંગ શરૂ થાય તે પહેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળવા અભિનેતા અક્ષય કુમાર લખનઉ પહોંચ્યા છે.


આ ફિલ્મમાં અભિનેતા અક્ષય કુમાર પુરાતત્વવિદ્ ભૂમિકામાં છે. તેની વચ્ચે અભિનેતા અક્ષય કુમારે ઈન્સ્ટાગ્રામ પર પણ પોતાના સાથી કલાકારો સાથે એક તસવીર પોસ્ટ કરી હતી. આ તસવીરમાં અક્ષય કુમારે લખ્યું હતું, એક વિશેષ ફિલ્મ, વિશેષ શરૂઆત. મહૂર્ત શૂટ કરવા માટે રામ સેતુની ટીમ અયોધ્યા જવા રવાના. આ સાથે જ યાત્રા શરૂ. આપ તમામ લોકો પાસે વિશેષ શુભકામનાઓની જરૂર. શુક્રવારથી ફિલ્મ રામસેતુનું શૂટિંગ શરૂ થશે. અયોધ્યામાં રામ મંદિર સ્થિત રામલલાની સામે રામસેતુનું મુહૂર્ત થશે. ફિલ્મમાં મુહૂર્ત સાથે એક ખાસ પૂજા થશે. 


આ ખાસ પૂજા માટે પંડિત અને કર્મકાંડી બ્રાહ્મણ રામ જન્મભૂમિ પરિસરમાં પહેલાથી જ પહોંચી ચૂક્યા છે. શુક્રવારે કરવાની પૂજા અને અનુષ્ઠાન આશરે 10 મિનિટ સુધી થશે. આ પૂજા બાદ અક્ષય કુમાર અયોધ્યામાં શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટ્રી અનિલ મિશ્ર સાથે મુલાકાત કરશે. આ મુલાકાત ટ્રસ્ટના સદસ્ય અને અયોધ્યાના રાજા વિમલેંદ્ર મોહન પ્રતાપ મિશ્રના ઘરે થશે.