Alia Ranbir Marriage: બોલીવુડ ઈન્ડસ્ટ્રીના સૌથી ચર્ચિત કપલમાંથી એક રણબીર કપૂર અને આલિયા ભટ્ટ આખરે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. 14 એપ્રિલે બંનેએ પરિવારની હાજરીમાં લગ્ન કર્યા હતા, જેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. ચાહકો અને સેલેબ્સ રણબીર-આલિયાને અભિનંદન આપી રહ્યા છે અને કપૂર પરિવારે પણ આલિયા ભટ્ટનું ખુલ્લા દિલથી સ્વાગત કર્યું છે. લગ્ન બાદ જયારે આલિયા અને રણબીર પહેલી વાર ચાહકો સામે આવ્યા ત્યારે રોમેન્ટિક અંદાજમાં રણબીર કપૂરે આલિયાને પોતાના ખોળામાં ઉપાડી  લીધી. રણબીર આલિયા બહાર આવ્યા  ત્યારે ઢોલ વાગવા લાગ્યા તેમજ તેમના ચાહકોએ સમગ્ર વાતાવરણ ઉત્સાહપૂર્ણ બનાવી દીધું હતું. 


રિસેપ્શન નહી યોજાયઃ
આજે હવે રણબીર અને આલિયાના લગ્નના રિસેપ્શન અંગે નીતૂ કપૂરે જાણકારી આપી છે. મીડિયા સાથેની વાતચીતમાં નીતૂ કપૂરે કહ્યું કે, "તમે બધા ખુશ રહેજો અને રણબીર અને આલિયાને ખુશિઓ આપજો. હવે બધું પુર્ણ થઈ ગયું છે." નીતૂ કપૂરે આપેલા આ નિવેદનથી સ્પષ્ટ થયું હતું કે લગ્ન બાદ કોઈ રિસેપ્શન નહી યોજાય. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં મીડિયા રિપોર્ટ્સમાં કહેવાયું હતું કે, રણબીર અને આલિયાના લગ્ન બાદ 17 એપ્રિલના રોજ રિસેપ્શન યોજાશે.






ગઈકાલે યોજાયેલા રણબીર અને આલિયાના લગ્નમાં બંનેના પરિવારના તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા. આલિયાના માતા-પિતા સોની રાઝદાન અને મહેશ ભટ્ટ સહિતના તેમના સંબંધીઓ પણ હાજર રહ્યા હતા. સાથે જ રણબીરના પરિવારજનો અને તેમના સંબંધીઓ પણ લગ્ન પ્રસંગમાં ઉપસ્થિત રહ્યા હતા.


આ પણ વાંચોઃ


'તમારી ઈચ્છા પુરી થઈ', નીતૂ કપૂરે રણબીરનો ફોટો શેર કરતાં ઋષિ કપૂરને યાદ કર્યા