મુંબઈ: મહાનાયક અમિતાભ બચ્ચન અને તેમના પુત્રનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યા બાદ સારવાર માટે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. હોસ્પિટલ અનુસાર, અમિતાભ બચ્ચની તબિયત સ્થિર છે અને તેમને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે.


નાણાવટી સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલ, મુંબઈના જનસંપર્ક અધિકારીએ જણાવ્યું કે, અમિતાભ બચ્ચનન સામાન્ય લક્ષણ સાથે સ્થિર છે અને હાલમાં હોસ્પિટલના આઈસોલેશન યૂનિટમાં દાખલ કરવામા આવ્યા છે.

અમિતાભ બચ્ચન અને અભિષેકને કોરોના રિપોર્ટ પોઝિટવ આવતા તેમના પરિવારના સભ્ય એશ્વર્યા રાય બચ્ચન અન આરાધ્યાનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો.
અમિતાભ બચ્ચને ટ્વિટ દ્વારા જણાવ્યું છે કે, મારો ટેસ્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. પરિવાર અને સ્ટાફના ટેસ્ટ કરાયા છે. 'છેલ્લા દસ દિવસમાં જેઓ મારા તેમજ પરિવારના સંપર્કમાં આવ્યા હોય તેમણે પોતાનો ટેસ્ટ કરાવી લેવો એવી વિનંતી' લક્ષણો દેખાતાં જ તેમણે તુરંત ટેસ્ટ કરાવ્યો હતો.