Rhea Chakraborty B'day : બૉલીવુડની હૉટ એક્ટ્રેસમાં સામેલ રિયા ચક્રવર્તી આજે પોતાના 30મો જન્મ દિવસ મનાવી રહી છે, એટલે કે રિયાનો જન્મ આજના દિવસે 1લી જુલાઇ 1992ના રોજ બેંગ્લુરુ ખાતે થયો હતો. એક્ટ્રેસને પોતાના ફેન્સ જન્મદિવસ નિમિત્તે ઢગલાબંધ શુભેચ્છાઓ પાઠવી રહ્યાં છે. એક્ટર સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ એક્ટ્રેસ મોટા વિવાદોમાં ફંસાઇ ગઇ હતી અને ડ્રગ્સ કેસમાં જેલ પણ જવુ પડ્યુ હતુ. આજે અહીં જાણો રિયા ચક્રવર્તીના જન્મદિવસ પ્રસંગે તેની ખાસ વાતો......... 


મીડિયા રિપોર્ટ અનુસાર, તેના પિતા સેનાની પોતાની નોકરી છોડ્યા બાદ મુંબઇમાં એક હૉસ્પીટલમાં પ્રમુખ તરીકે કામ કરવા લાગ્યા હતા. રિયા ચક્રવર્તી લાંબા સમયથી એમટીવી સાથે જોડાયેલી રહી હતી, તેને એમટીવીથી પોતાની કેરિયર શરૂ કરી હતી, ખરેખરમાં તે કેટલાક વર્ષો સુધી વીજે પણ રહી.


ખરેખરમાં રિયા ચક્રવર્તી એક્ટિંગ પહેલા એટલે કે શરૂઆત કામોમાં તે એક બાની જી હતી, તેને એક બેગ બ્રાન્ડ માટે પ્રચાર કર્યો હતો. બાદમાં રિયાએ એક ગીત પણ આયુષ્યમાન ખુરાના સાથે કર્યુ, અને આ જ કારણે મુશ્કેલ સમયમાં રિયાનો સાથે આયુષ્યમાને પણ આપ્યો હતો.  




રિયા ચક્રવર્તી, સુશાંત સિંહ રાજપૂતને ત્યારથી જાણે છે, જ્યારે બન્ને યશરાજની ફિલ્મો સાથે જોડાયા હતા. તે દોસ્તો હતા, અને તેને વર્ષ 2016માં એક જન્મદિવસની પાર્ટીમો જોવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ અનુસાર તેને વર્ષ 2019માં એક કૉમન ફ્રેન્ડની પાર્ટીમાં મળ્યા બાદથી ડેટિંગ શરૂ કર્યુ હતુ, તે સમયે એવી પણ ચર્ચાઓ હતી કે સુશાંત સિંહ રાજપૂત અને સારા અલી ખાન રિલેશનશીપમાં છે. સમાચારોનુ માનીએ તો રિયા અને સુશાંતે એપ્રિલ 2019માં એકબીજાને ડેટ કરવાનુ શરૂ કર્યુ હતુ. 


 














આ પણ વાંચો..... 


Gujarat Rain: અષાઢી બીજના દિવસે રાજ્યમાં છવાયો વરસાદી માહોલ, ભગવાન જગન્નાથ પર વરુણ દેવના અમી છાંટણા


Coal India MT Recruitment 2022: કોલ ઇન્ડિયાએ 1000થી વધુ પદો પર ભરતીની કરી જાહેરાત, આટલા હજાર મળશે પગાર


IND vs ENG Test: ભારત અને ઇગ્લેન્ડ વચ્ચે આજથી ટેસ્ટ, એજબેસ્ટનમાં ટીમ ઇન્ડિયાનો છે ખરાબ રેકોર્ડ


Vastu Shastra Tips: આ વસ્તુઓનો ઉધાર માંગીને ના કરો ઉપયોગ, નહી તો થશે નુકસાન


1 July Financial Changes: ક્રિપ્ટો પર ટેક્સ, પ્રોપર્ટી ટેક્સ મોંઘો અને હોમ લોન EMI મોંઘી સહિત આજથી લાગુ થયા આ મોટા ફેરફારો


Small Saving Schemes: PPF, સુકન્યા સમૃદ્ધિ યોજના, પોસ્ટ ઓફિસની સ્કીમમાં રોકાણ કરનારાઓને લાગ્યો આંચકો, વ્યાજદરમાં ન થયો વધારો