Kangana Ranaut Tweet: એકબાજુ અત્યારે શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ બૉક્સ ઓફિસ પર તબાહી મચાવી રહી છે, તો બીજીબાજુ બૉલીવુડની હૉટ એક્ટ્રેસ કંગના રનૌત ટ્વીટર એકદમ ખરાબ રીતે ટ્રૉલ થઇ રહી છે. હવે તેને પણ એક ટ્વીટ કરી કરી દીધુ છે. આમાં તેને હિન્દુત્વને લઇને નિવેદન આપ્યુ છે. તેનું કહેવુ છે કે, બૉલીવુડ વાળાઓ એ નેરેટિવ બનાવવાની કોશિશ ના કરો આ દેશમાં તમે હિન્દુ નફરતથી પીડિત છો, જો મેં ફરીથી આ શબ્દ સાંભળ્યો 'નફરત પર જીત' તો તમારા લોકોની તે જ ક્લાસ લાગશે જે કાલે લાગી હતી. પોતાની સફળતાનો આનંદ લો અને સારુ કામ કરો, રાજનીતિથી દુર રહો. 


કંગના હંમેશાથી પોતાના ટ્વીટ્સના કારણે ચર્ચામાં રહે છે, પઠાણ ફિલ્મના રિલીઝ થયા બાદથી જ તે સતત ટ્વીટ કરીને કંઇક ને કંઇક નિવેદનો આપી રહી છે. આ પહેલા પણ તેને આને લઇને સવાલો ઉઠાવ્યા હતા. તેનો સવાલ હતો કે, ભારત માટે લડાઇ અને બન્ને પક્ષો કૌણ છે ? રાષ્ટ્રવાદી વિરુદ્ધ રાષ્ટ્રવિરોધી, બીજેપી વિરુદ્ધ વિશેષાધિકાર પ્રાપ્ત વર્ગ, પંડિત વિરુદ્ધ પઠાણ, તમારી રાજનીતિ, રાજનીતિ અમારી રજનીતિ કટ્ટરતા ? કમાલ છે યાર !!!"






--


Kangana Ranaut On Pathaan:  કંગના રનૌતે ટ્વિટર પર કમબેક કર્યાને થોડા જ દિવસ થયા છે અને અભિનેત્રી ફૂલ ફોર્મમાં જોવા મળી રહી છે. શુક્રવારે તેણે કેટલાક ટ્વીટ્સ પોસ્ટ કર્યા જેમાં તેણે દાવો કર્યો કે ભલે શાહરૂખ ખાનની 'પઠાણ' સફળ થાય. પરંતુ દેશ હજી પણ 'જય શ્રી રામ' ના નારા જ લગાવશે. કંગનાએ કહ્યું કે તે 'ભારતનો પ્રેમ અને સમાવેશ' છે જે શાહરૂખ ખાન સ્ટારર ફિલ્મને જબરદસ્ત સફળતા આપી રહી છે.


'પઠાણ' માત્ર એક જ ફિલ્મ, ગુંજશે તો માત્ર 'જય શ્રી રામ'










iplayer_AV63cff49b623cf45fad0b97a5-1674881940354Container" class="avp-source" tabindex="-1">



કંગનાએ દાવો કર્યો હતો કે દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદની ફિલ્મ "આપણા દુશ્મન દેશ પાકિસ્તાન અને ISISને સારી રીતે બતાવે છે". અભિનેત્રીએ ISIS માં સુધારો કર્યો અને પછી ISI લખી. તેણીએ વધુમાં કહ્યું, "તે ભારતની ભાવના અને ચુકાદાથી પરે છે જે તેને મહાન બનાવે છે...તે ભારતનો પ્રેમ છે જેણે દુશ્મનોની નફરત અને નીચતા પર કાબુ મેળવ્યો છે." રાજનીતિ પર જીત મેળવી..." તેના ફોલો-અપ ટ્વિટમાં લખ્યું હતું, "પરંતુ જે લોકો ઉચ્ચ અપેક્ષાઓ રાખી રહ્યા છે તેઓ કૃપા કરીને નોંધ લો... પઠાણ માત્ર એક ફિલ્મ બની શકે છે... ગુંજેગા તો યહાં સિર્ફ જય શ્રીરામ..."


કંગનાએ 'પઠાણ' ફિલ્મ માટે નવું નામ સૂચવ્યું


અન્ય એક ટ્વીટમાં કંગનાએ લખ્યું, "હું માનું છું કે ભારતીય મુસ્લિમો દેશભક્ત છે અને અફઘાન પઠાણોથી ખૂબ જ અલગ છે... મુખ્ય વાત એ છે કે ભારત ક્યારેય અફઘાનિસ્તાન નહીં બને, આપણે બધા જાણીએ છીએ કે અફઘાનિસ્તાનમાં શું થઈ રહ્યું છે, તેથી ફિલ્મ 'પઠાણ' તેની સ્ટોરી લાઇન મુજબ 'ભારતીય પઠાણ' હોવી જોઈએ.