Indias Got Latent Controversy: 'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ'ના વિવાદ પછી, હવે શોના આયોજક સમય રૈનાએ શોના બધા એપિસોડ ડિલીટ કરી દીધા છે. તેમણે X પર પોસ્ટ કરીને આ હોબાળા પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે આ બધું સંભાળવું તેમના માટે મુશ્કેલ બની ગયું હતું. આ ઉપરાંત, સમયે એમ પણ કહ્યું છે કે તે આ સમગ્ર મામલામાં એજન્સીઓને સંપૂર્ણ સહયોગ આપશે.

 

સમય રૈનાએ પોતાની પોસ્ટમાં લખ્યું - 'જે કંઈ થઈ રહ્યું છે તે મારા માટે ખૂબ વધારે છે. મેં મારી ચેનલ પરથી 'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ' ના બધા વિડીયો દૂર કરી દીધા છે. મારો એકમાત્ર ઉદ્દેશ્ય લોકોને હસાવવાનો અને તેમને સારો સમય આપવાનો હતો. હું બધી એજન્સીઓને સંપૂર્ણ સહકાર આપીશ જેથી ખાતરી કરી શકાય કે તેમની તપાસ નિષ્પક્ષ રીતે પૂર્ણ થાય. આભાર.

પોલીસે આ કેસમાં 6 લોકોના નિવેદન નોંધ્યાતમને જણાવી દઈએ કે ખાર પોલીસે 'ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ' વિવાદ અંગે અત્યાર સુધીમાં 6 લોકોના નિવેદનો નોંધ્યા છે. પોલીસે આશિષ ચંચલાની અને અપૂર્વ મખીજાના પણ નિવેદન લીધા છે. અપૂર્વ મખીજા અને આશિષ ચંચલાનીએ પોતાના નિવેદનમાં આ શો વિશે કહ્યું હતું કે તે સ્ક્રિપ્ટેડ નથી. શોમાં, જજો અને સહભાગીઓને ખુલીને વાત કરવાનું કહેવામાં આવે છે.

શું તમને શોના જજ તરીકે કામ કરવાનો પગાર મળે છે?આશિષ અને અપૂર્વાએ કહ્યું હતું કે 'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ'માં જજોને પગાર પણ મળતો નથી. જોકે, જજો શોની સામગ્રી તેમના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી શકે છે. આ શોમાં દર્શક તરીકે ભાગ લેવા માટે, ટિકિટ ખરીદવી પડશે. ટિકિટના વેચાણમાંથી મળતા પૈસા શોના વિજેતાને આપવામાં આવે છે. સમય રૈના દેશની બહાર હોવાથી પોલીસ તેનું નિવેદન નોંધી શકી નથી. રણવીર વિશે સમાચાર હતા કે પોલીસ આજે તેનું નિવેદન નોંધી શકે છે.

આ પણ વાંચો...

Samay Raina Show Cancelled: અમદાવાદ અને સુરતમાં સમય રૈનાના શો રદ, અશ્લિલ ટિપ્પણી કરવી પડી મોંઘી