ઇન્દોરમાં મકાનોના તળીયાનુ કામ કરનારા 20 વર્ષીય મજૂરો અભિનેતા સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા બાદ પોતાના મોબાઇલ ફોન પર આવી રહેલા સેંકડો ફોન કૉલથી પરેશાન થઇ ગયો છે. ખરેખર, ટીવી એક્ટ્રેસ અંકિતા લોખંડેના નામથી કોઇએ ફેસબુક પર નકલી પ્રૉફાઇલ બનાવી છે. તે પ્રૉફાઇલમાં આ મજૂરનુ નામ નંબર કોઇએ નાંખી દીધો છે. જ્યારે લોકો અંકિતા લોખંડેનો નંબર સમજીનો મજૂરને લોકો સેંકડોની સંખ્યામાં ફોન કરીને પરેશાન કરી રહ્યાં છે.
કેસની તપાસ કરી રહેલી પોલીસના સાયબર સેલનુ કહેવુ છે કે ઓળખની ગરબડીના કારણે દિવંગત અભિનેતાની પૂર્વ પ્રેમિકા અને અભિનેત્રી અંકિતા લોખંડેના નામથી બનાવવામાં આવેલુ એક ફેસબુક પેજ છે, જેના પર મજૂરનો મોબાઇલ નંબર નાંખેલો છે.
ઇન્દોરની સાયબર સેલ બ્રાન્ચે કહ્યું કે, સેંકડોની સંખ્યામાં આવી રહેલા ફોનથી કંટાળીને મજૂરો પોલીસમાં એક ફરિયાદ પણ નોંધાવી છે. તેને ફરિયાદમાં જણાવ્યુ કે, ફેસબુક પેજ પર અંકિતા લોખંડેના એક પેજ પર એબાઉટ સેક્શનમાં મજૂરોનો મોબઇલ નંબર છે. પોલીસ અધિકારીએ કહ્યું કે અંકિતા લોખંડેના નામથી બનાવવામાં આવેલા આ ફેસબુક પેજને 40000થી વધુ લોકો ફોલો કરે છે.