Satish Kaushik Prayer Meeting: અભિનેતાને યાદ કરીને તમામ સ્ટાર્સ ભાવુક થઈ રહ્યા છે. અભિનેતાના નજીકના મિત્ર અનુપમ ખેર માટે પણ આ મોટો ફટકો હતો. 45 વર્ષની મિત્રતાનો હવે કાયમ માટે અંત આવી ગયો છે. આ જ કારણ છે કે હવે અનુપમ ખેર 21મી માર્ચે તેમના મિત્ર માટે પ્રાર્થના સભાનું આયોજન કરશે.


અનુપમ ખેર સતીશ કૌશિક માટે યોજાશે પ્રાર્થના સભા


સતીશ કૌશિક માટે પ્રાર્થના સભા યોજાશે એક અહેવાલ મુજબ અનુપમ ખેર તેમના સ્વર્ગસ્થ મિત્ર સતીશ કૌશિક માટે પ્રાર્થના સભાનું આયોજન કરશે. અભિનેતાનો પરિવાર 20 માર્ચ સુધી દરરોજ તેમના માટે પ્રાર્થના કરશે. અને હવે અનુપમ ખેર બીજા દિવસે એટલે કે 21 માર્ચે તેમના શ્રેષ્ઠ મિત્ર માટે પ્રાર્થના સભા કરશે. આ કાર્યક્રમની તમામ તૈયારીઓ અભિનેતા દ્વારા કરવામાં આવશે. જેમાં સિનેમા જગતના તમામ મોટા સ્ટાર્સ પણ ભાગ લેશે. આ કાર્યક્રમ ક્યાં આયોજિત કરવામાં આવશે તે અંગે હજુ સુધી કોઈ માહિતી બહાર આવી નથી.







સતીશ કૌશિકનું 9 માર્ચે સવારે હાર્ટ એટેકના કારણે થયું હતું નિધન 


સતીશ કૌશિકના કેસમાં નવો વળાંક પ્રખ્યાત દિગ્દર્શક અને અભિનેતા સતીશ કૌશિકનું 9 માર્ચે સવારે દિલ્હીમાં હાર્ટ એટેકના કારણે નિધન થયું હતું. તેમનું 66 વર્ષની વયે આ રીતે નિધન થવું એ દરેક માટે મોટો આઘાત છે. હવે અભિનેતાના કેસમાં કેટલાક નવા ચોંકાવનારા ખુલાસા સતત થઈ રહ્યા છે. પોલીસનું કહેવું છે કે અભિનેતાનું મોત શંકાસ્પદ સંજોગોમાં થયું છે. પોલીસ આ મામલે તપાસ કરવા તેના ફાર્મહાઉસ પહોંચી હતી જ્યાં તેની કેટલીક દવાઓ મળી આવી હતી. હવે પોલીસ આ મામલાની ઊંડી તપાસ કરી રહી છે. જોકે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર અભિનેતાનું મૃત્યુ હાર્ટ એટેકને કારણે થયું હતું. હવે જોવાનું એ રહેશે કે આ કેસમાં પોલીસ તપાસમાં શું બહાર આવે છે.