મુઝફ્ફરપુરઃજિલ્લા કોર્ટે ફિલ્મ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોત મામલામાં સુનાવણી કરતા બોલિવૂડ એક્ટર સલમાન ખાન, નિર્માતા એકતા કપૂર સહિત કુલ આઠ ફિલ્મી હસ્તીઓ વિરુદ્ધ નોટિસ જાહેર કરી છે.


ફરિયાદી વકીલ સુધીર ઓઝાના કહેવા પ્રમાણે છેલ્લા 17 જૂનના રોજ સીજેએમ કોર્ટમાં આ તમામ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેને સીજેએમની કોર્ટ દ્ધારા ફગાવી દીધી હતી અને અધિકાર ક્ષેત્રની બહાર ગણાવી હતી. બાદમાં ગયા 14 ઓગસ્ટના રોજ જિલ્લા અને સત્ર ન્યાયાધીશની કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેને માનનીય કોર્ટ દ્ધારા સ્વીકારાતા સીજેએમ કોર્ટમાંથી તમામ દસ્તાવેજની માંગ કરવામાં આવી અને આ કેસની સુનાવણી હાથ ધરી હતી. આજે તમામ આઠ આરોપીઓ વિરુદ્ધ નોટિસ જાહેર કરતા પોતે અથવા પોતાના વકીલના માધ્યમથી 07 ઓક્ટોબરના રોજ મુઝફ્ફરપુરની કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.