નવી દિલ્હીઃ સુશાંત સિંહ રાજપૂત કેસમાં મુખ્ય આરોપી રિયા ચક્રવર્તીએ સુપ્રીમ કોર્ટમાં એક એફિડેવિડ દાખલ કરી છે, જેમાં તેને મીડિયા ટ્રાયલ વિરુદ્ધ ગુસ્સો ઠાલવ્યો છે. આ અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થશે. રિયાએ સુશાંત કેસ મામલે પોતાના પર થઇ રહેલા મીડિયા ટ્રાયલ પર રોક લગાવવાની માંગ કરી છે.


સુશાંત કેસમાં મુંબઇ પોલીસની તપાસની સાથે સાથે બિહાર પોલીસ પણ તપાસ ચલાવી રહી છે, અને હવે આ કેસ બિહાર સરકારની ભલામણના કારણે કેન્દ્ર સરકારે સીબીઆઇને સોંપી દીધી છે. આ મામલે રિયા ચક્રવર્તીએ નારાજગી વ્યક્ત કરી છે. રિયાએ બિહાર પોલીસ અને ઇડીની તપાસ પર સવાલો ઉઠાવ્યા છે.



રિયાએ પોતાની એફિડેવિટમાં આખા કેસમાં મીડિયા ટ્રાયલની વાત કહી છે. આમાં કહેવામાં આવ્યુ છે કે, મીડિયાએ રિયાને પહેલાથી દોષી ઠેરવી દીધી છે. પહેલા 2જી અને આરુષિ તલવાર કેસાં જે લોકોને મીડિયાએ પોતાના તરફથી દોષી ઠેરવ્યા હતા, તે લોકો પછીથી નિર્દોષ સાબિત થયા હતા. સુશાંત બાદ પણ કેટલાક અભિનેતાઓએ આત્મહત્યા કરી છે, પરંતુ મીડિયાની દિલચસ્પી આ કેસમાં જ છે. કેસને વધારીને બતાવી રહ્યું છે. તે પહેલાથી જ પરેશાન છે, પરંતુ તેની પર્સનલ લાઇફને તમાશો બનાવી દેવામાં આવ્યો છે.



રિયાએ કહ્યું કે, હું રાજનીતિનો શિકાર બની છું, આ કેસ વધારે તુલ પકડવાનુ કારણ બિહારમા આ વર્ષે યોજાનારી ચૂંટણી છે. ખુદ નીતિશ કુમારે આ કેસમાં ઝંપલાવ્યુ અને કેસ પટના પોલીસે નોંધ્યો હતો. કાયદેસર આમ કરવુ યોગ્ય નથી.