પોતાની વાતોને રાખતા ગુરુવારે સુબ્રમણ્યમ સ્વામીએ પોતાના એક ટ્વીટમાં કહ્યું- ઇઝરાયેલ અને યુએઇ સાથે રાજનીતિક સંબંધોના કારણે ભારતમાં દુબઇ દાદા લોકો ખુબ પરેશાનીમાં છે. સીબીઆઇએ સુશાંત, શ્રીદેવી અને સુનંદાની હત્યા મામલે જાણકારી માટે મોસાદ અને શિન બેથની મદદ લેવી જોઇએ.
ફેબ્રુઆરી 2018માં શ્રીદેવીનુ નિધન થયુ હતુ, અહીં કહેવામાં આવ્યુ હતુ કે, દુબઇની એક હૉટલમાં બાથટબમાં પડીને ડુબી જવાથી તેનુ મોત થઇ ગયુ 17 જાન્યુઆરી 2014ની રાત્રે દિલ્હીની એક હૉટલના રૂમમાં સુનંદા પુષ્કર રહસ્યમયી રીતે મૃત હાલતમાં મળી હતી.
ઉલ્લેખનીય છે કે, સુશાંત સિંહ રાજપૂત કેસમાં બુધવારે સુબ્રમણ્યમ સ્વામીએ કોર્ટના નિર્ણયને યોગ્ય ગણાવ્યો, અને પ્રસંશા કરતા લખ્યું હતું- સીબીઆઇ જય હો. આ પહેલા સ્વામીએ સુશાંતના મોતને હત્યા ગણાવી દીધી હતી.