The Kerala Story Tax-free: ફિલ્મ The Kerala Story' આ શુક્રવારે થિયેટર્સમાં ઘણા વિવાદો વચ્ચે રિલીઝ થઈ છે. જ્યારે કેટલાક રાજકીય પક્ષો અને એક ચોક્કસ સમુદાયે ફિલ્મની રિલીઝ પહેલા તેનો સખત વિરોધ કર્યો હતો અને પ્રતિબંધની માંગ કરી હતી, ત્યારે થિયેટરોમાં દર્શકોએ ફિલ્મને સારો પ્રતિસાદ આપ્યો છે. આ સાથેઃ 'ધ કેરળ સ્ટોરી'ની શરૂઆત શાનદાર રહી છે. મહારાષ્ટ્રના નાસિકના "હિન્દુ સકલ સમાજ" ના સભ્યોએ ફિલ્મને ટેક્સ ફ્રી કરવાની માંગ કરી છે.






મહારાષ્ટ્રમાં 'ધ કેરળ સ્ટોરી'ને ટેક્સ ફ્રી બનાવવાની માંગ


હિન્દુ સકલ સમાજ જૂથે લવ જેહાદ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ધરણાં કર્યા હતા.  તેમનું માનવું છે કે ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ લવ જેહાદની સમગ્ર પ્રક્રિયાને લોકોની સામે રજૂ કરશે અને આ ફિલ્મ જોઈને હિન્દુ સમાજની છોકરીઓમાં જાગૃતિ આવશે. આ અંતર્ગત નાસિકના સકલ હિન્દુ સમાજ વતી જિલ્લા કલેકટરને આ ફિલ્મને વહેલી તકે ટેક્સ ફ્રી કરવા વિનંતી કરવામાં આવી છે.


'ધ કેરળ સ્ટોરી'ને ટેક્સ ફ્રી બનાવવાની માંગ કેમ થઈ રહી છે?


હિન્દુ સકલ સમાજના સભ્યોએ કહ્યું, અમને આશા છે કે સીએમ એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં રાજ્યમાં લવ જેહાદ પર અંકુશ આવશે અને પીડિત હિન્દુ છોકરીઓને ન્યાય મળશે. રાજ્ય સરકારે આ ફિલ્મને ટેક્સ ફ્રી કરવી જોઈએ. આ તમામ હિંદુ સમુદાયના સભ્યો દ્વારા વ્યક્ત કરવામાં આવેલી સાધારણ અપેક્ષા છે.


'ધ કેરળ સ્ટોરી'ને મધ્યપ્રદેશમાં ટેક્સ ફ્રી કરવામાં આવી


જ્યારે મહારાષ્ટ્રમાં ધ કેરળ સ્ટોરીને ટેક્સ ફ્રી બનાવવાની માંગ ઉઠી છે. ત્યારે મધ્યપ્રદેશ સરકારે પણ આ પહેલ કરી છે. વિવાદાસ્પદ ફિલ્મ 'ધ કેરળ સ્ટોરી'ને મધ્ય પ્રદેશમાં ટેક્સ ફ્રી કરી દેવામાં આવી છે. રાજ્યના સીએમ શિવરાજ સિંહ ચૌહાણે પોતે શનિવારે સવારે ટ્વીટ કરીને આ અંગેની જાહેરાત કરી છે. તેમણે ટ્વીટ કર્યું હતું કે  "ધ કેરળ સ્ટોરી' એક એવી ફિલ્મ છે જેણે આતંકવાદના ભયાનક સત્યને ઉજાગર કર્યું છે. આ ફિલ્મને મધ્યપ્રદેશમાં ટેક્સ ફ્રી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે."


'ધ કેરળ સ્ટોરી' દક્ષિણના રાજ્યોમાં અનુભવાયેલી સાચી ઘટનાઓ પર આધારિત હોવાનું કહેવાય છે, જેમાં લવ જેહાદ દ્વારા ઇરાક અને સીરિયામાં ISISમાં જોડાવા માટે ઘણી મહિલાઓને ફસાવવામાં આવી હતી. જોકે નિર્માતાઓએ સ્પષ્ટતા કરી છે કે ફિલ્મનો ઉદ્દેશ્ય કોઈ ચોક્કસ ધર્મને ખરાબ બતાવવાનો નથી, પરંતુ તેનો હેતુ લોકોને કેરળની ચિંતાજનક વાસ્તવિકતાથી વાકેફ કરવાનો છે. જ્યાં મહિલાઓને આતંકી સંગઠનોમાં જોડાવવા માટે ફસાવવામાં આવી રહી છે.