આશરે એક વર્ષ પહેલા આ માર્ગને મનપાએ 60 ફૂટ પહોળો કરવાનો નિર્ણય લીધો હતો. આ અંગે અમિતાભ બચ્ચન, ઉદ્યોગપતિ સત્યમૂર્તિ સહિત બિલ્ડિંગોના માલિકોને મનપાએ નોટિસ મોકલી હતી. મનપાની નોટિસ મળતા જ સત્યમૂર્તિએ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેના કારણે માર્ગને પહોળો કરવાનું કામ અટકાવી દેવામાં આવ્યું હતું.
હાઇકોર્ટે સત્યમૂર્તિની અરજી પર સ્ટે આપવાથી ઇનકાર કરી દીધો છે. જે બાદ મનપાએ ફરીથી રોડ પહોળો કરવાનું કામ શરૂ કરી દીધુ છે. મનપાના અધિકારીઓના જણાવ્યા મુજબ, બિગ બીએ હજુ સુધી નોટિસનો જવાબ આપ્યો નથી. બે દિવસ પહેલા જ સત્યમૂર્તિના બંગલાની દીવાલ તોડી પાડવામાં આવી છે અને ટૂંક સમયમાં જ બિગ બીના બંગલાની દિવાલ પણ તોડવામાં આવશે તેમ કહેવામાં આવી રહ્યું છે.