'ધ કપિલ શર્મા' શોના આ કલાકાર સાથે 'વિદ્યાવતી' છે રિલેશનશીપમાં, જલ્દી જ કરી શકે લગ્ન
એક અહેવાલ મુજબ સુગંધા અને સંકેત એક વર્ષથી એક –બીજાને ડેટ કરી રહ્યા છે. અને સુગંધાના કારણે સંકેતને કપિલ શર્મા શોમાં આવવાનો મોકો મળ્યો હતો. તેની ઈચ્છા છે કે સંકેતને આ શોમાં એટલી સફળતા મળે જેટલી સુનીલ ગ્રોવરને મળી હતી. સુગંધા અને સંકેત એક-બીજાને લઈને સિરીયસ છે અને જલ્દી જ લગ્ન કરી શકે છે.
કપિલ શર્માના શોમાં વિદ્યાવતીથી જાણીતી થયેલી સુગંધા મિશ્રા રિલેશનશીપમાં છે અને ટૂંક સમયમાં લગ્ન કરી શકે છે. સુગંધા ડો. સંકેત ભોસલે સાથે રિલેશનશીપમાં છે. સંકેત થોડા સમય પહેલા ‘ધ કપિલ શર્મા શો’ના કેટલાક એપિસોડ્સમાં દેખાયો છે.
સુગંધા અને સંકેત ઝી ટીવીના સમર એક્સપ્રેસ 2017ને હોસ્ટ કરશે.
એક એંટરટેઈન્મેંટ પોર્ટલના અહેવાલ મુજબ સુગંધા અને સંકેત એકબીજાને ખૂબ પ્રેમ કરે છે. સંકેત કોમેડી જગતમાં ખૂબ મોટુ સ્થાન મેળવે તે માટે બંને ઘણી મેહનત કરી રહ્યા છે. તે બંને થોડા સમયમાં લગ્ન કરી શકે છે.