મુંબઈઃ દેશમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં  2000થી વધારે લોકો તેનાથી સંક્રમિત થયા છે અને 41 લોકોના જીવ ગયા છે, જ્યારે 171 લોકો સાજા થઈ ગયા છે. આ દરમિયાન ત્રણ વર્ષ સુધી લકવાગ્રસ્ત રહેલી અભિનેત્રી અભિનય છોડીને લોકોની મદદ માટે નર્સ બની ગઈ છે.


આ એક્ટ્રેસનું નામ શિખા મલ્હોત્રા છે. તે કાંચલી ફિલ્મમાં અભિનય કરી ચુકી છે.  અભિનય કરતા પહેલા શિખાએ વર્ધમાન મહાવીર મેડિકલ કોલેજ અને નવી દિલ્હી સ્થિત સફદરગંજ હોસ્પિટલમાંથી વર્ષ 2014માં નર્સિંગનો કોર્સ કર્યો હતો. જોકે અભિનયના કારણે તે નર્સિંગનો અભ્યાસ પૂરો કરી શકી નહોતી.

શિખા મલ્હોત્રાએ હોસ્પિટલમાં નર્સના ડ્રેસમાં કામ કરતી હોય તેવી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. તસવીર શેર કરીને એક્ટ્રેસે લખ્યું, કોલેજમાં કોર્સ પૂરો કર્યા બાદ સમાજ સેવાનો સંકલ્પ લીધો હતો. મને લાગે છે કે હવે આ સમય આવી ગયો છે.

શિખાના આ ફેંસલાની ચારેબાજુથી પ્રશંસા થઈ રહી છે. તેની પોસ્ટ પર યૂઝર્સ સતત કમેન્ટ કરી રહ્યા છે.