COVID 19: કર્મચારીઓની મદદ માટે આગળ આવ્યા ફિલ્મ નિર્માતા સાજિદ નાડિયાદવાલા

કોરોના સામેની લડાઈમાં નાડિયાદવાલા ગ્રાન્ડસન એન્ટરટેઈનમેન્ટ અને નાડિયાદવાલા ગ્રાન્ડસન ફાઉન્ડેશને પીએમ કેર ફન્ડ અને મુખ્યમંત્રી રાહત કોષમા દાન કરવાનો સંકલ્પ કર્યો છે.

Continues below advertisement
મુંબઈ: દેશમાં કોરોના વાયરસના કારણે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. ત્યારે આ લોકડાઉન દરમિયાન અનેક લોકો આર્થિક તંગીનો સામનો કરી રહ્યાં છે. આવા લોકોની મદદ માટે અનેક જાણીતી હસ્તીઓ આગળ આવી છે અને દાન કરી રહી છે. હવે આ લિસ્ટમાં જાણીતા ફિલ્મ નિર્માતા સાજિદ નાડિયાદવાલાનું નામ પણ જોડાઈ ગયું છે. સાજિદે 400થી વધુ કર્મચારીઓઓને બોનસ આપવાની જાહેરાત કરી છે. કોરોના સામેની લડાઈમાં નાડિયાદવાલા ગ્રાન્ડસન એન્ટરટેઈનમેન્ટ અને નાડિયાદવાલા ગ્રાન્ડસન ફાઉન્ડેશને પીએમ કેર ફન્ડ અને મુખ્યમંત્રી રાહત કોષમા દાન કરવાનો સંકલ્પ કર્યો છે.
સાજિદ દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે, અમે પોતાના 400થી વધુ કર્મચારીઓના પરિવાર તથા દિહાડી મજૂર તરફથી પણ ઈચ્છીએ છે કે, આ પ્રયાસોમાં પોતાનું થોડુ યોગદાન આપે. તેથી અમને આ મહાન, વૈશ્વિક કારણમાં ભાગ લેવા અને દાન કરવા માટે પ્રોત્સાહિત કર્યા છે. તેથી પોતાના તમામ કર્મચારીઓના હાથોને વધુ મજબૂત કરવા માટે બોનસ આપવાની જાહેરાત કરી છે.
Continues below advertisement
Sponsored Links by Taboola