Election 2024 Exit Polls
(Source: Dainik Bhaskar)
‘પદ્માવતી’ વિવાદ પર દિપીકાએ તોડ્યું મૌન, કહ્યું- ‘ફિલ્મને રિલીઝ થવાથી કોઈ નહીં રોકી શકે’
તેમણે કહ્યું, “અમારી જવાબદારી માત્ર સેંસરબોર્ડ પ્રત્યે છે અને મારું માનવું છે કે ફિલ્મને રિલીઝ થવાથી કોઈ નહીં રોકી શકે.”
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ફિલ્મમાં દીપીકા રાજપૂત રાણી પદ્માવતીની ભૂમિકામાં છે. દિપીકાને એક એવી તક મળી છે કે જે દરેક અભિનેત્રીના કારકિર્દીમાં નસીબ નથી હોતું. તેમણે કહ્યું, હું જશ્ન મનાવું છું.
દિપીકાએ કહ્યું જણાવ્યું કે, એક દાયકા પહેલા જ્યારે બોલીવુડમાં શરૂઆત કરી હતી ત્યારે ક્યારેય નહોતું વિચાર્યું કે એક દિવસે સંજય ભણસાલીની ફિલ્મોમાં હિરોઈન બનશે. હવે ભંણસાલી સાથે પોતાની ત્રીજી ફિલ્મ ‘પદ્માવતી’ રિલીઝની રાહ જોઈ રહેલી અભિનેત્રીને પૂરો વિશ્વાસ છે કે ફિલ્મ વિવાદોમાંથી બહાર નિકળી સિનેમાંઘરોમાં પ્રદર્શિત થશે અને મનોરંજન ઉદ્યોગ માટે મોટી લડાઈ જીતશે.
ફિલ્મની રિલીઝ પહેલા મચેલા વિવાદ પર દિપીકાએ કહ્યું, “આ ડરામણું છે, તેનાથી આપણને શું મળ્યું? વધુ એક રાષ્ટ્રના રૂપમાં આપણે ક્યાં પહોંચી ગયા છે? આપણે આગળ વધવાના બદલે પાછળ જઈએ છે. ”
નવી દિલ્લી: ફિલ્મ પદ્માવતીને લઈને ચારે બાજુ થઈ રહેલા વિરોધ વચ્ચે હવે અભિનેત્રી દિપીકા પાદુકોણે મૌન તોડ્યું છે અને કહ્યું કે, ફિલ્મને રિલીઝ થવા પર કોઈ નહીં રોકી શકે. દિપીકાએ કહ્યું કે, “એક મહિલાના રૂપમાં મને આ ફિલ્મનો હિસ્સો હોવું અને કહાની દેખાડવાનો ગર્વ છે, જેને બતાવવાની જરૂર નથી”
- - - - - - - - - Advertisement - - - - - - - - -