આ દિવસે ‘તારક મેહતા....’માં વાપસી કરશે ‘દયાબેન’, મેકર્સે જણાવી તારીખ
મુંબઈઃ જાણીતા ટીવી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની દયાબેન એટલે કે દિશા વાકાણી છેલ્લા એક વર્ષતી રજા પર છે. વિતેલા વર્ષે દિશાએ દીકરી સ્તુતિને જન્મ આપ્યો હતો. ત્યાર બાતી જ તે આ શોથી દૂર છે. હવે લેટેસ્ટ અપટેડ અનુસાર દિશા ફરી એક વખત શોમાં વાપસી કરી શકે છે. શોના પ્રોડ્યૂસર અસિત મોદીએ આ તરફ ઈશારો કર્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમીડિયા સાથે વાતચીત કરતાં અસિત મોદીએ કહ્યું કે, હાં અમે દિશાની વાપસી માટે તેની સાથે વાત કરી રહ્યા છીએ. જો બધુ ઠીક રહ્યું તો દિશા આગમી બે મહિનામાં શોમાં વાપસી કરી શકે છે. દિશાની અનુપસ્થિતિમાં પણ શોને સારા રેટિંગ્સ મળી રહ્યા છે. જોકે, હવે દિશા વાકાણીએ આ મામલે કોઈ સ્પષ્ટતા કરી નથી.
દિશાએ વિતેલા વર્ષે 30 નવેમ્બરના રોજ દીકરી સ્તુતિને જન્મ આપ્યો હતો. ત્યાર બાથી જ તે પોતાની દીકરીની સારસંભાળ કરી રહી છે. દિશાએ વર્ષ 2015માં મુંબઈના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મયુર પડિયા સાથે લગ્ન કર્યા હતા. દિશા વિતેલા દસ વર્ષતી આ શો સાથે જોડાયેલ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -