‘તારક મહેતા...’માં કમબેક માટે ‘દયાભાભી’એ મૂકી શરતો, જાણીને ચોંકી જશો તમે
નોંધનીય છે કે, દિશા વાકાણી ગયા સપ્ટેમ્બરથી શોમાં જોવા નથી મળી. દિશાના ફેન્સ આતુરતાથી તેના કમબેકની રાહ જોઈ રહ્યા છે. દિશાની ગેરહાજરીમાં મેકર્સે શોની સ્ટોરીલાઈનમાં ઘણા ફેરફારો કર્યા છે. જોકે હવે ફે્સની આતુરતાનો અંત આવશે. અહેવાલ છે કે નવરાત્રિ વખતે દિશા શોમાં કમબેક કરશે.
આ ઉપરાંત દિશા વાકાણીએ અન્ય શરત એ છે કે તે મહિનામાં માત્ર 15 દિવસ જ કામ કરશે. નોંધનીય છે અન્ય સ્ટાર્સ 22-25 દિવસ કામ કરી રહ્યા છે. મળતા અહેવાલ અનુસાર મેકર્સે દિશાની બધી શરતો મૂજીર રાખી છે. દયાભાભીનું કેરેક્ટર ખૂબ જ જાણીતું છે એટલે સરળતાથી બીજી અભિનેત્રી આ કેરેક્ટર માટે મળવી મુશ્કલે છે.
મુંબઈઃ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં લાંબા સમયથી દિશા વાકાણી ગાયબ છે. ઘણાં દિવસોથી એવા અહેવાલ આવી રહ્યા હતા કે તે હવે આ શોમાં કમબેક નહીં કરે. પરંતુ વિતેલા સપ્તાહે અહેવાલ આવ્યા કે દિશા શોમાં કમબેક કરવા જઈ રહી છે. દિશા વાકાણીના ફેન્સ માટે આ સારા સમાચાર છે. જોકે દિશાએ કમબેક કરતાં પહેલા મેકર્સ સામે કેટલીક શરતો મૂકી છે.
રજા પર જતા પહેલા દિશા વાકાણી એક એપિસોડ માટે 1.25 લાખ રૂપિયા ચાર્જ કરતી હતી પરંતુ હવે તે એક એપિસોડ માટે 1.5 લાખ રૂપિયા માગી રહી છે. સાથે જ તેણે સાંજે 6 વાગ્યા બાદ કામ ન કરવાની શરત મૂકી છે એટલે કે તે સવારે 11થી સાંજે 6 કલાકની શિફ્ટમાં જ કામ કરશે.