મુંબઈ: બોલીવૂડ અભિનેત્રી દીયા મિર્જાને વેબ પ્લેટફોર્મ પર ડેબ્યૂ અને સીરીઝ કાફીરમાં શાનદાર અભિનયના કારણે દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોડ 2020ની સન્માનિત કરવામાં આવી છે. દીયાને 20 ફેબ્રુઆરીએ દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ્સ 2020માં સર્વશ્રેષ્ઠ અભિનેત્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી છે. કાફીરે પોતાની સ્ટોરીના કારણે લોકોના દિલ જીતી લીધા છે. સીરીઝમાં બતાવવામાં આવેલી માનવતા પ્રત્યે સંવેદનશીલ વિષયોએ ન માત્ર ભારત પરંતુ વિશ્વ સ્તર પર દર્શકોન પર અલગ છાપ છોડી છે.


સોનમ નાયર દ્વારા નિર્દેશિત અને સિદ્ધાર્થ મલ્હોત્રા નિર્મિત કાફીર ઓટીટી પ્લેટફોર્મ ઝી5 પર રિલીઝ કરવામાં આવી હતી. દીયા આ સિરીઝમાં વકીલની ભૂમિકામાં જોવા મળી હતી.

તેણે કહ્યું, અતુલ સાથે કામ કરવું એક અદ્ભુત અનુભવ હતો. મારા દ્વારા નિભાવવામાં આવેલા અત્યાર સુધીનો સૌથી પડકારજનક ભાગ હતો. હુ આ પ્રકારની સ્ટોરીની ભાગ બનવા પર પોતાને ખૂબ જ ભાગ્યશાળી માનું છું.