મુંબઈ: વર્ષ 2018માં રિલીઝ થયેલ અજય દેવગણની ફિલ્મ ‘રેડ’માં સૌરભ શુક્લાની માતાનું પાત્ર ભજવનાર અભિનેત્રી પુષ્પા જોશીનું ગયા મંગળવારે નિધન થયું હતું. તેઓ 85 વર્ષના હતાં. પુષ્પ જોશી હાલમાં જ એક જાહેરાતમાં પણ જોવા મળ્યાં હતાં. જેમને ચાહકોએ બહુ જ પસંદ કર્યા હતાં અને તેમને ‘સ્વેગવાલી દાદી’નું પણ નામ આપવામાં આવ્યું હતું.

કહેવામાં આવી રહ્યું છે કે, પુષ્પા જોશી છેલ્લા અઠવાડિયે પોતાના ઘરમાં પડી ગયા હતા જેને લઈને તમને ફ્રેક્ચર થયું હતું. જેને કારણે તેમને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતાં.

‘રેડ’ ફિલ્મના ડાયરેક્ટર રાજકુમાર ગુપ્તાએ ટ્વિટર પર આ દુ:ખદ સમાચારની જાણકારી આપી હતી. તેમણે પુષ્પા જોશી સાથેનો ફોટો શેર કરીને લખ્યું હતું કે, પુષ્પા જોશીના નિધનથી હું બહુ જ દુ:ખી છું. મારા ડાયરેક્શન કેરિયરમાં ‘રેડ’ ફિલ્મમાં તેમને એક્ટિંગ કરતાં જોવા બહુ જ મહત્વનું હતું. તેઓ સેટ પર અને બહારની દુનિયામાં ખુશખુશાલ હતાં. અમે તમને બહુ જ મિસ કરીશું.

કાસ્ટિંગ ડાયરેક્ટર શિખા પ્રદીપે પણ પુષ્પા જોશીના નિધન પર દુખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, પુષ્પા જોશીએ 85 વર્ષની ઉંમરમાં રેડ ફિલ્મથી એક્ટિંગની શરૂઆત કરી હતી. આ સિવાય તેઓ ફેવીક્વિક દાદીના રૂપમમાં પણ પ્રખ્યાત હતાં. 26 નવેમ્બરે તેમણે દુનિયાને અલવિદા કહ્યું હતું.