ફિલ્મ ‘પદ્માવતી’નું પોસ્ટર થયુ રીલીઝ, જાણો ક્યારે થશે રીલીઝ
ફિલ્મ રામલીલા અને બાજીરાવ મસ્તાનીએ બોક્સ ઓફિસ પર સારી એવી કમાણી કરી હતી. હવે જોવાનું એ છે કે, આ ફિલ્મ શું કમાલ કરે છે. જો કે, ફિલ્મને શૂટિંગ દરમિયાન ઘણી મુશ્કેલીઓ અને વિવાદોનો સામનો કરવો પડ્યો હતો.
આ ફિલ્મની વાર્તા રાની પદ્માવતીના જીવન પર આધારિત છે. ફિલ્મમાં દીપિકા પાદુકોણ રાની પદ્માવતીની ભૂમિકામાં છે. ત્યાં શાહિદ કપૂર ફિલ્મમાં દીપિકાનો પતિ યાની રાવલ રતન સિંહની ભૂમિકા કરી રહ્યો છે. આ ફિલ્મ રસપ્રદ એ છે કે ફિલ્માં રણવીર સિંહ અલાઉદ્દીન ખિલજીની ભૂમિકા કરી રહ્યો છે. પહેલીવાર રણવીર નેગેટિવ રોલમાં નજર આવશે.
મુબંઈ: અનેક વિવાદો બાદ સંજય લીલા ભંણસાલીની ફિલ્મ પદ્માવતીનો ફર્સ્ટ લુક જાહેર કરવામાં આવ્યો છે. આ પોસ્ટરમાં સાથે એ પણ જણાવવામાં આવ્યું છે કે, ફિલ્મ પ્રથમ ડિસેમ્બરે રીલીઝ થશે. બુધવારે રણવીર સિંહે ટ્વિટ કરી જાણકારી આપી કે, પદ્માવતીનું પોસ્ટર ગુરુવારે રીલીઝ થઈ શકે છે.
દીપિકા પાદુકોણ, રણવીર સિંહ અને સંજય લીલા ભંણસાલીએ રામલીલા અને બાજીરાવ મસ્તાનીમાં ત્રણેય સાથે કામ કર્યું હતું ત્યારે ફરી એકવાર ફિલ્મ પદ્માવતીમાં સાથે આવ્યા છે.
આ ફિલ્મની વાર્તા રાની પદ્માવતીના જીવન પર આધારિત છે. ફિલ્મમાં દીપિકા પાદુકોણ રાની પદ્માવતીની ભૂમિકામાં છે. ત્યાં શાહિદ કપૂર ફિલ્મમાં દીપિકાનો પતિ યાની રાવલ રતન સિંહની ભૂમિકા કરી રહ્યો છે. આ ફિલ્મ રસપ્રદ એ છે કે ફિલ્માં રણવીર સિંહ અલાઉદ્દીન ખિલજીની ભૂમિકા કરી રહ્યો છે. પહેલીવાર રણવીર નેગેટિવ રોલમાં નજર આવશે.