ફિલ્મ પદ્માવતીના રજા મુરાદે ફેસબુક પર શેયર કર્યો પોતાનો ફર્સ્ટ લુક, થોડી વારમાં હટાવ્યો
જણાવી દઈએ કે ફિલ્મ પદ્માવતીમાં દીપિકા પાદુકોણ રાણી પદ્માવતીની ભૂમિકામાં, શાહિદ કપૂર રાવલ રતન સિહં અને રણવીર સિંહ અલાઉદ્દીન ખિલજીની ભૂમિકામાં નજર આવશે.
રજા મુરાદની ચર્ચા એટલા માટે થઈ રહી છે કે તેમણે પોતાની ભૂમિકાનો ફર્સ્ટ લુક પોતેજ ફેસબુક પર પોસ્ટ કર્યો હતો અને જણાવ્યું કે આ ફિલ્મમાં તે જલાલુદ્દીન ખિલજીની ભૂમિકામાં છે, તેના આ લુકને ખુબજ પસંદ કરવામાં આવી રહ્યો હતો. તેમના પ્રશંસકો તેના પર પ્રતિક્રિયાઓ પણ આપી હતી. પણ અચાનક તેમણે પોતાની પોસ્ટ હટાવી લીધી હતી. હજું સુધી એ જાણવા નથી મળ્યું કે શા માટે તેમણે આ પોસ્ટ હટાવવી પડી. જો કે પદ્માવતી શરૂઆતથી જ અનેક વિવોદોનો સામનો કરી ચુકી છે.
નવી દિલ્લી: ફિલ્મ પદ્માવતીના તમામ સ્ટારના ફર્સ્ટ લુક સામે આવી ગયા છે. દીપિકા પાદુકોણ, શાહિદ કપૂર અને રણવીર સિંહે પોતાની ભૂમિકાની પ્રથમ ઝલક સોશલ મીડિયા પર પોતોજ બતાવી દીધી છે. તેની વચ્ચે આ ફિલ્મના વધુ એક અભિનેતા ચર્ચામાં છે. અભિનેતા રજા મુરાદ આ ફિલ્મમા જલાલુદ્દીન ખિલજીની ભૂમિકામાં છે.