દીપિકા પાદુકોણ અને રણવીર સિંહનાં લગ્નની તારીખ નક્કી? ક્યારે કરશે લગ્ન, જાણો વિગત
જો કે આ બધા અહેવાલોને દીપિકા-રણવીરનાં પરિવારજનોએ હજુ સુધી કોઇપણ પ્રકારનું સત્તાવાર સમર્થન નથી આપ્યું.
મુંબઈ ખાતે રિસેપ્શન બોલિવૂડ ફ્રેન્ડ્સ માટે કરવામાં આવશે. દીપિકા અને રણવીરના ચાહકો માટે આ એક ખુશખબર હશે. 2 માર્ચના રોજ દીપિકા રણવીરના પરિવાર સાથે લંડન ગઈ હતી. એક સાથે તેઓ લગ્ન માટે કપડાં અને જ્વેલરીની ખરીદી કરી રહ્યાં છે. દીપિકા સાથે રણવીરના અંગરક્ષક પણ છે.
બંને પોતાના લગ્ન બાદ બે રિસેપ્શન યોજશે. જેમાંથી એક મુંબઈમાં અને એક બેંગ્લુરુમાં થશે.બેંગ્લુરુવાળું રિસેપ્શન દીપિકાના પરિવાર અને ત્યાં રહેતા તેમના સંબંધીઓ માટે કરાશે તેવા ચર્ચાઓ પણ ચાલી રહી છે.
સૂત્રોનાં જણાવ્યા અનુસાર દીપિકા-રણવીરનાં લગ્ન સાઉથ ઇન્ડિયન રિતી-રિવાજો સાથે કરવામાં આવશે. દીપિકા અને રણવીર લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત થઇ ચુક્યા છે. લગ્નની ખરીદી માટે દીપિકા 2 માર્ચનાં રોજ લંડન શૉપિંગ માટે ગઇ છે.
સુત્રો પ્રમાણે કહેવામાં આવી રહ્યું છે કે, દીપિકા અને રણવીર બંને ડેસ્ટિનેશન વેડિંગ ઇચ્છે છે, પરંતુ બંનેનાં માતા-પિતા ઇચ્છે છે કે તેમના લગ્ન મુંબઈમાં જ થાય. આ પાછળનું એક કારણ એ પણ છે કે બંનેનાં મોટાભાગનાં મિત્રો અને સંબંધીઓ મુંબઈ તેમજ દિલ્હીમાં રહે છે. તેમના માતા-પિતા નથી ઈચ્છતા કે કોઇ પણ દીપિકા અને રણવીરનાં લગ્નમાં આવવાનું ચુકી જાય.
દીપિકાનાં માતા-પિતા લગ્નની વાતચીત કરવા માટે બેંગલુરથી મુંબઈ આવ્યા હતા અને ત્યાં દીપિકા-રણવીરનાં લગ્નની તારીખ નક્કી કરવામાં આવી હતી. આ મીટિંગ દીપિકાનાં ઘર ‘પ્રભાદેવી’માં થઈ હતી. આ દરમિયાન દીપિકા અને રણવીર પોતાની ફેમિલી સાથે હાજર હતા. મીટિંગ બાદ પરિવાર સાથે તેઓ વર્લીમાં ડિનર માટે ગયા હતા તેવું સુત્રો દ્વારા જાણા મળ્યું હતું.
મુંબઈ: બોલિવુડની બેસ્ટ કપલમાં અભિનેત્રી દીપિકા પાદુકોણ અને અભિનેતા રણવીર સિંહનું પણ નામ ચર્ચામાં છે. હવે માહિતી એવી છે કે આ કપલ બહુ જ જલ્દી લગ્નનાં બંધને બંધાશે. રણવીર સિંહ અને દીપિકા પાદુકોણનાં માતા-પિતાએ બંનેનાં લગ્ન આવનારા 3-4 મહિનાની અંદર નક્કી કરી દીધા છે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.