શ્રીદેવીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે, જ્યારે જાહન્વી 6 વર્ષની હતી ત્યારે તેમણે સદમા ફિલ્મ કરી હતી. આ ફિલ્મ જોયા બાદ જાહન્વીએ શ્રીદેવી સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું અને એટલું જ નહીં તેમણે શ્રીદેવીને ખરાબ માતા પણ કહી હતી.
આ ફિલ્મ જોયા બાદ જાહન્વી કપૂરે કહ્યું હતું કે, ‘આપને કમલા હસન સાથે બહુ ખરાબ કર્યું. આપે આવું ન હતું કરવું જોઇતું’ શ્રીદેવીએ કહ્યું હતું કે, ‘મને 6 વર્ષની જાહન્વીને સમજાવતા ત્રણ દિવસનો સમય લાગ્યો હતો કે, આ એક ફિલ્મ હતી અને તેમાં મારે માનસિક રીતે બીમાર યુવતીનો રોલ પ્લે કરવાનો હતો’
જાહન્વી બાળપણથી તેમની માને ફોલો કરે છે. જાહન્વી તેમની માતાના કહ્યાં મુજબ જ બધા નિર્ણય લેતી હતી. કઇ ફિલ્મથી ડેબ્યૂ કરવું તે મુદ્દે પણ શ્રીદેવીની સલાહ જ જાહન્વીએ લીધી હતી. જો કે દીકરીની ડેબ્યૂ ફિલ્મ જોતા પહેલા જ શ્રીદેવીએ દુનિયાને અલવિદા કહી દીધું. 24 ફેબ્રુઆરી 2018માં તેનું નિધન થઇ ગયું હતું.