કાત્જુ મોટેભાગે વિવાદિત નિવેદન આપતા રહે છે. સુપ્રીમ કોર્ટના પૂર્વ જજે ગત 17 સપ્ટેમ્બરે પોતાના એક સોશિયલ મીડિયા પેજ પર અમિતાભ પર નિશાન સાધતા લખ્યું હતું, અમિતાભ બચ્ચનનું દિમાગ ખાલી છે અને જોકે મોટાભાગના મીડિયાકર્મી તેમના વખાણ કરે છે, મને લાગે છે તેમનું પણ દિમાગ ખાલી છે.
અભિનેતાએ કાત્જુની ટિપ્પણીને લઈને પૂચવામાં આવતા કહ્યું કે, તે (કાત્જુ) સાચુ કહે છે, મારું દિમાગ ખાલી છે. તે સાચા છે, મારું દિમાગ ખલ્લાસ (ખતમ) છે. અમિતાભે એક પ્રેસ કોન્ફરન્સમાં એક સવાલનો જવાબ આપતા કહ્યું કે, અમે એક જ સ્કૂલમાં ભણ્યા છે. તે મારા સીનિયર હતા. અમારી વચ્ચે કોઈ દુશ્મની નથી.