મુંબઈઃ અભિનેત્રી કંગના રનૌત પાસે હજી સુધી સત્તાવાર રીતે સોશિયલ મીડિયા એકાઉન્ટ નથી. પરંતુ તેની બહેન રંગોલી ચંદેલ સોશિયલ મીડિયા પર ભારે એક્ટિવ રહે છે. એના માધ્યમથી તે માત્ર પોતાના અને તેના પરિવાર વિશે જ વાત કરે છે. પરંતુ દરેક મુદ્દા પર પોતાનો અભિપ્રાય વ્યક્ત પણ કરે છે. હાલમાં જ રીલિઝ થયેલી તાપ્સી પન્નુ અભિનીત ફિલ્મ ‘થપ્પડ’ વિશે ચર્ચા કરતી વખતે રંગોલીએ એક ભૂલ કરી જેનાથી તેની બહેન કંગનાને પણ ગુસ્સો આવ્યો.


રંગોલી ટ્વિટર ઉપર તાપસી પન્નૂની ફિલ્મ થપ્પડ ઉપર પોતાની સલાહ આપી રહી હતી. આ સાથે તેમણે તેની અને પોતાની બહેન કંગના વચ્ચેની પ્રાઈવેટ વાત પણ ટ્વિટર ઉપર શેર કરી દીધી હતી. આ અંગે કંગના રંગોલી ઉપર ભડકી ગઈ હતી. અને તેને આવું ન કરવા માટે પણ કહ્યું હતું. આ અંગેની જાણકારી ખુદ રંગોલીએ ટ્વીટ કરીને આપી હતી.


આ ટ્વીટમાં રંગોલીએ ‘બાગી 3’ના ડાયરેક્ટર અહેમદ ખાનના દાવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. જેમણે તાજેતરમાં એમ કહીને વિવાદ ઉભો કર્યો હતો કે, એક મહિલા તેના પતિને ફક્ત એક જ વાર થપ્પડ મારવાથી છોડી દે એ સમજણની બહાર છે. અહમદ ખાને તાપ્સી પન્નુની તાજેતરની ફિલ્મ થપ્પડ વિશે આવું કહ્યું હતું. રંગોલીએ ટ્વિટ કર્યું હતું કે ‘મેં કંગનાને પૂછ્યું હતું કે થપ્પડ પર ચર્ચા ચાલી રહી છે, આ વિશે તું શું વિચારે છે?


આ અંગે કંગનાએ કહ્યું, મને લાગે છે કે જો મારો ઘરવાળો મને થપ્પડ મારી દે છે, તો હું તેને થોડા સમય માટે ઘરની બહાર મોકલીશ. હું તેને મહિનાઓ કે વર્ષો સુધી એકલા છોડી દેતી. પરંતુ જો તેને તેની ભૂલની ખબર પડી જાય તો હું તેને કાયમ માટે છોડીશ નહીં.’


પરંતુ સતત ટ્વીટ કરતા રંગોલીએ આ ટ્વીટ્સમાં કંગના સાથે થયેલી એવી વાતોનો પણ ઉલ્લેખ કર્યો હતો. જેણે પોતાના પાર્ટનર સાથે રિલેશનશિપ અંગે કહી હતી. જેમાં તેમણે કેટલીક પ્રાઈવેટ વાતોનો પણ ઉલ્લેખ કર્યો હતો. રંગોલીએ જણાવ્યું કે કંગનાને જ્યારે થપ્પડ ઉપર પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું હતું કે, જો કોઈ તેને થપ્પડ મારે તો તેને બરબાદ કરી દેશે. પરંતુ જો કોઈ તેને સ્પેંક કરે તો તેને ગમશે. પોતાની આ વાતોને જાહેરમાં કરવા ઉપર કંગના પોતાની બહેન ઉપર ભડકી હતી. તેણે રંગોલીને આવું ન કરવા માટે કહ્યું હતું.