✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કપિલે શર્માએ શૉને લઈને કર્યો ખુલાસો, આ કારણે બંધ થયો તેનો શૉ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  02 Sep 2017 07:56 PM (IST)
1

જો કે, અહેવાલ અનુસાર ચેનલના અધિકારિક પ્રવક્તાનું કહેવું છે કે, કપિલ સાથે સંબંધ મહત્વના છે. અમે તેને જલ્દી સારો થઈ જાય એવી શુભકામના કરીએ છીએ. જ્યારે તે સંપૂર્ણ સારો થઈ જાય ત્યારે ફરી શૂટિંગ કરશે.

2

જણાવી દઈએ કે, હવે 8 કલાકે ‘ધ ડ્રામા કંપની’ની જગ્યાએ ‘સુપર ડાન્સર’ આવશે અને 9 કલાકે ‘ધ ડ્રામા કંપની’ ટેલિકાસ્ટ કરવામાં આવશે. જ્યારે કપિલનો શૉ શરૂ થશે ત્યારે તેનો શૉ 10 કલાકે શરૂ કરવામાં આવશે.

3

મીડિયામાં આવેલા સમાચાર પ્રમાણે કપિલે શો બંધ થવા વિશે કહ્યું કે, થોડાક દિવસો માટે રજા લઈ રહ્યો છું અને હવે હું આરામ કરવા માંગુ છું. વાત હવે મારી તબિયતની છે અને આ હાલતમાં મારાથી કામ કરી શકાય એવું નથી, હું મારી તબિયતની અવગણના નથી કરી શકતો. ટૂંક સમયમાં જ મારી ફિલ્મ રીલીઝ થવાની છે અને આગામી ટાઈમ ટેબલ પણ ખૂબ જ વ્યસ્ત છે. હું ચેનલનો આભારી છું કે, તેમણે દબાણ કર્યા વિના મને રજા આપી.

4

નવી દિલ્લી: કપિલ શર્માના શૉને લઈને સતત આવી રહેલી ખરાબ ખબરોને લઈને કપિલ શર્માએ આખરે મૌન તોડ્યું છે. કપિલ ઘણા લાંબા સમયથી ખરાબ તબિયતના કારણે શૉ પર ધ્યાન આપી રહ્યા નહોતા. જેનું કારણ શૉમાં આવનાર સ્ટાર્સ અને ચેનલનો ગુસ્સો પણ કપિલને ઝીલવો પડ્યો હતો. જો કે, હાલમાં શૉ કેટલાક દિવસો માટે બંધ કરવામાં આવ્યો છે. અને આ શૉની જગ્યાએ બીજો કોમેડી શૉ બતાવવામાં આવશે.

  • હોમ
  • મનોરંજન
  • કપિલે શર્માએ શૉને લઈને કર્યો ખુલાસો, આ કારણે બંધ થયો તેનો શૉ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.