✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

બારડોલીઃ પ્રેમલગ્ન પછી પતિ સાથે પિયર રહેતી યુવતીએ કેમ કર્યો આપઘાતનો પ્રયાસ? જાણો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  02 Sep 2017 05:00 PM (IST)
બારડોલીઃ પ્રેમલગ્ન પછી પતિ સાથે પિયર રહેતી યુવતીએ કેમ કર્યો આપઘાતનો પ્રયાસ? જાણો
1

માતા-પિતાએ આવો ટોણો મારતાં યુવતીને લાગી આવ્યું હતું અને ગુરુવારે રાતે પંદર દિવસની પુત્રીને મૂકી ગળેફાંસો લગાવી દીધો હતો. જોકે, પરિવારજનો જોઇ જતાં તેને તાત્કાલિક નીચે ઉતારી હોસ્પિટલ ખસેડાઇ હતી. જ્યાં તેની સારવાર ચાલું હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે વધુ તપાસ પોલીસ કરી રહી છે.

2

બારડોલીઃ તાલુકાના વાઘેચ ગામમાં રહેતી 23 વર્ષીય યુવતી પ્રેમલગ્ન કર્યા પછી પિયરમાં જ રહેતી હતી. દરમિયાન આ યુવતીએ આપઘાતનો પ્રયાસ કરતાં ભારે ચકચાર મચી ગઈ છે. વાઘેચ ગામના મંદિર ફળિયામાં રહેતી યુવતીએ ગામના જ યુવક સાથે ત્રણ વર્ષ પહેલા પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન બાદ પતિ પણ યુવતીના પરિવાર સાથે જ રહેતો હતો. પંદરેક દિવસ પહેલા યુવતીએ એક બાળકીને જન્મ પણ આપ્યો હતો.

3

ત્રણ દિવસ પહેલા પતિ ગામમાં બેસવા માટે ગયો હતો અને મોડી રાતે પરત ફર્યા પછી તેણે પત્ની સાથે ઝઘડો થયો હતો. આ પછી યુવતીને તેના માતા-પિતા સાથે પણ ઝઘડો થતાં માતા-પિતાએ તેં તારી મરજીથી જ પ્રેમલગ્ન કર્યા હતા. તારા પતિને પણ ઘરજમાઇ રાખ્યો છે. તું જતી રહે.

  • હોમ
  • ગુજરાત
  • બારડોલીઃ પ્રેમલગ્ન પછી પતિ સાથે પિયર રહેતી યુવતીએ કેમ કર્યો આપઘાતનો પ્રયાસ? જાણો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.