બીમારીએ બંધ કર્યો કપિલ શર્માનો શો તો હવે હોસ્પિટલમાં ભરતી થયો સુનીલ ગ્રોવર, જાણો શું થયું
કપિલનો શો છોડ્યા પછી સુનિલ લાઇવ શો, એવોર્ડ ફંક્શન્સ તેમજ ટીવી શોઝમાં સ્પેશ્યિલ અપિયરન્સ કરતો જોવા મળ્યો હતો. જ્યારે સુનિલને પૂછવામાં આવ્યું કે તે ક્યારે ફરી શો લઇને આવી રહ્યો છે ત્યારે સુનિલે કહ્યું કે હાલ તો તે પ્લેટલેટ્સ કાઉન્ટ વધારવા પર ધ્યાન આપી રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુત્થી, ડો. મશહૂર ગુલાટી અને રિંકૂ દેવી જેવા કેરેક્ટરથી ફેમસ થયેલા સુનીલને છેલ્લા કેટલાય સમયથી તાવ આવતો હતો. તેણે મુંબઇના એશિયન હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ કરાયો છે. નોંધનીય છે કે સુનિલે કપિલ શર્મા સાથે થયેલા ઝઘડા પછી શો છોડ્યો હતો.
મીડિયામાં આવેલ અહેવાલ અનુસાર સુનીલ ગ્રોવર મુંબઈની એક હોસ્પિટલમાં ભર્તી થયો છે અને ડેન્ગ્યૂની સારવાર લઈ રહ્યો છે. કપિલ શર્મા સાથે ઝઘડા બાદ જ સુનીલ ગ્રોવર નાના પડદે ઓછો જોવા મળ્યો છે.
નવી દિલ્હીઃ સુનીલ ગ્રોવર અને કપિલ શર્માની મિત્રતા વિશે તો બધા જ જાણે છે, પરંતુ થોડા મહિના પહેલા જ આ મિત્રતામાં આવેલ તીરાડે સૌને ચોંકાવી દીધા હતા. પરંતુ લાગે છે કપિલ અને સુનીલનું આ કનેક્શન કંઈક વધારે જ ઊંડું છે. કપિલ શર્માની લથડતી તબિયતને અને સતત કેન્સલ થતા શોને કારણે ધ કપિલ શર્મા શોને ચેલને થોડા સમય માટે બંધ કરવાનો નિર્ણય કર્યો છે તો હવે સમાચાર આવ્યા છે કે, સુનીલ ગ્રોવર પણ ડેન્ગ્યૂને કારણે હોસ્પિટલમાં ભર્તી થયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -