✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

'ધ કપિલ શર્મા શો'ને બદલે સોની પર આવી શકે છે સુનીલ ગ્રોવરનો કોમેડી શો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  08 Apr 2017 12:08 PM (IST)
1

જાણીતા કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવ પણ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે સુનીલ ધ કપિલ શર્માના શોમાં પાછો ફરશે નહીં. ઉલ્લેખનીય છે કે કપિલ અને સુનીલ શૂટિંગ માટે ફ્લાઇટમાં જઇ રહ્યા હતા તે દરમિયાન નશાની હાલતમાં કપિલે સુનીલ સાથે ઝઘડો કર્યો હતો.

2

અગાઉ એવો દાવો કરવામાં આવ્યો હતો કે સુનીલ શોમાં પાછા ફરવાના વધુ રૂપિયાની માંગણી કરી રહ્યો છે. જોકે, સુનીલે આ વાતનું ખંડન કર્યું નહોતું પરંતુ લખ્યું હતું કે, મારો ઇરાદો સમ્માનની સાથે લોકોનું મનોરંજન કરવાનો છે. હું કોઇ કામને કરું કે ના કરું આ માટે રૂપિયા જ એક કારણ નથી.

3

ઉલ્લેખનીય છે કે કપિલ સાથે વિવાદ થયો ત્યારે એવા રિપોર્ટ આવ્યા હતા કે કલર્સ ટીવી પર સુનીલ ગ્રોવરનો શો શરૂ થઇ શકે છે પરંતુ સુનીલે આવા રિપોર્ટ પર કાંઇ કહેવાનો ઇનકાર કર્યો હતો. ડોક્ટર ગુલાટી અને રિકુ ભાભીના પાત્રો ભજવીને જાણીતા બનેલા સુનીલ ગ્રોવરના આ પાત્રો પર સોનીનો કોપીરાઇટ છે.

4

એક અંગ્રેજી વેબસાઇટના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો, સોની કપિલ શર્માને બદલે સુનીલ ગ્રોવરનો શો શરૂ કરવાનું વિચારી રહી છે. સોનીએ કેટલાક દિવસો અગાઉ સુનીલ ગ્રોવરને શોમાં પાછો લાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કોઇ પરિણામ મળ્યું નથી.

5

મુંબઇઃ જાણીતા કોમેડિયન સુનીલ ગ્રોવર સાથે વિવાદ બાદ કપિલ શર્માના ખરાબ દિવસો પુરા થવાનું નામ લઇ રહ્યા નથી. સુનીલ ગ્રોવર સાથેના ઝઘડા બાદ ‘ધ કપિલ શર્મા શો’ની ટીઆરપીમાં મોટો ઘટાડો થયો છે. તાજેતરમાં જ મીડિયામાં એવા રિપોર્ટ આવ્યા હતા કે ટીઆરપી ઘટવાને કારણે કપિલ શર્માને સોની ટીવીએ એક મહિનાનો સમય આપ્યો છે.

  • હોમ
  • મનોરંજન
  • 'ધ કપિલ શર્મા શો'ને બદલે સોની પર આવી શકે છે સુનીલ ગ્રોવરનો કોમેડી શો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.