'ધ કપિલ શર્મા શો'ને બદલે સોની પર આવી શકે છે સુનીલ ગ્રોવરનો કોમેડી શો
જાણીતા કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવ પણ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે સુનીલ ધ કપિલ શર્માના શોમાં પાછો ફરશે નહીં. ઉલ્લેખનીય છે કે કપિલ અને સુનીલ શૂટિંગ માટે ફ્લાઇટમાં જઇ રહ્યા હતા તે દરમિયાન નશાની હાલતમાં કપિલે સુનીલ સાથે ઝઘડો કર્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅગાઉ એવો દાવો કરવામાં આવ્યો હતો કે સુનીલ શોમાં પાછા ફરવાના વધુ રૂપિયાની માંગણી કરી રહ્યો છે. જોકે, સુનીલે આ વાતનું ખંડન કર્યું નહોતું પરંતુ લખ્યું હતું કે, મારો ઇરાદો સમ્માનની સાથે લોકોનું મનોરંજન કરવાનો છે. હું કોઇ કામને કરું કે ના કરું આ માટે રૂપિયા જ એક કારણ નથી.
ઉલ્લેખનીય છે કે કપિલ સાથે વિવાદ થયો ત્યારે એવા રિપોર્ટ આવ્યા હતા કે કલર્સ ટીવી પર સુનીલ ગ્રોવરનો શો શરૂ થઇ શકે છે પરંતુ સુનીલે આવા રિપોર્ટ પર કાંઇ કહેવાનો ઇનકાર કર્યો હતો. ડોક્ટર ગુલાટી અને રિકુ ભાભીના પાત્રો ભજવીને જાણીતા બનેલા સુનીલ ગ્રોવરના આ પાત્રો પર સોનીનો કોપીરાઇટ છે.
એક અંગ્રેજી વેબસાઇટના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો, સોની કપિલ શર્માને બદલે સુનીલ ગ્રોવરનો શો શરૂ કરવાનું વિચારી રહી છે. સોનીએ કેટલાક દિવસો અગાઉ સુનીલ ગ્રોવરને શોમાં પાછો લાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કોઇ પરિણામ મળ્યું નથી.
મુંબઇઃ જાણીતા કોમેડિયન સુનીલ ગ્રોવર સાથે વિવાદ બાદ કપિલ શર્માના ખરાબ દિવસો પુરા થવાનું નામ લઇ રહ્યા નથી. સુનીલ ગ્રોવર સાથેના ઝઘડા બાદ ‘ધ કપિલ શર્મા શો’ની ટીઆરપીમાં મોટો ઘટાડો થયો છે. તાજેતરમાં જ મીડિયામાં એવા રિપોર્ટ આવ્યા હતા કે ટીઆરપી ઘટવાને કારણે કપિલ શર્માને સોની ટીવીએ એક મહિનાનો સમય આપ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -