મુંબઈઃ બોલિવૂડના પીઢ અભિનેતા ઋષિ કપૂરનું 67 વર્ષની વયે  30 એપ્રિલે  સવારે મુંબઈની એચ એન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં નિધન થયું હતું. અમિતાભ બચ્ચને તેમના નિધનની પુષ્ટિ કરી હતી. ઋષિ કપૂર લાંબા સમયથી કેન્સરથી પીડિત હતાં. વિવિધ શારીરિક તકલીફના કારણે તેમને 29 એપ્રિલે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. તેમની તબિયત ગંભીર થતા તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતાં. જોકે, રાતના ત્રણ વાગે તેમણે રિસ્પોન્ડ કરવાનું બંધ કરી દીધું હતું અને તેમને ગુરુવારે સવારે 8.45 વાગે મૃત જાહેર કરવામાં આવ્યા હતાં.


INSIDE PICS: ઋષિ કપૂરના અંતિમ સંસ્કારમાં વીડિયો કોલથી દિકરી રિદ્ધિમાએ કર્યા દર્શન

ઋષિ કપૂરના મરીન લાઈન્સના ચંદનવાડી સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. બપોરે 3.45 કલાકે તેમનો પાર્થિવ દેહ સ્મશાન ઘાટ પહોંચ્યો હતો. ઈલેક્ટ્રીક સ્મશાનગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સ્મશાન પહોંચ્યાના આશરે અડધા કલાકની અંદર જ ઋષિ કપૂરની અંતિમ સંસ્કારની પ્રક્રિયા પૂરી થઈ ગઈ હતી. પુત્ર રણબીર કપૂરે પિતાના અંતિમ સંસ્કારની વિધિ પૂરી કરી હતી.

ઋષિ કપૂરની ખાસ નજીક રહેલા અભિષેક બચ્ચન પણ ખૂબ ભાવુક જોવા મળ્યા હતા. કોરોના વાયરસના કારણે અંતિમ સંસ્કારમાં પહોંચેલા તમામ લોકો માસ્ક સાથે જોવા મળ્યા હતા.

ઋષિ કપૂરની ખાસ નજીક રહેલા અભિષેક બચ્ચન પણ ખૂબ ભાવુક જોવા મળ્યા હતા. કોરોના વાયરસના કારણે અંતિમ સંસ્કારમાં પહોંચેલા તમામ લોકો માસ્ક સાથે જોવા મળ્યા હતા.

સ્મશાન ગૃહમાં પરિવારના સભ્યો નીતૂ કપૂર, પુત્ર રણબીર કપૂર, ભાઈ રણધીર કપૂર, રાજીવ કપૂર અને ભત્રીજી કરીના કપૂર ઉપરાંત સૈફ અલી ખાન, રીમા જૈન, મનોજ જૈન, આદર જૈન, અનીષા જૈન, બિમલ પારીખ, નતાશા નંદન, અભિષેક બચ્ચન, ડોક્ટર તંરગ, આલિયા ભટ્ટ, અયાન મુખર્જી, રોહિત ધવન, રાહુલ રવૈલા હાજર રહ્યા હતા.