ભણશાળીએ કરણી સેનાના સભ્યોએ શેના માટે આપ્યું નિમંત્રણ? કરણી સેનાએ આપ્યો શું જવાબ?
તેના વિચારોને અવગણીને ફિલ્મ રિલીઝની તારીખ નક્કી કરવાથી ઇતિહાસકારોનું અપમાન કર્યું છે. હવે તેનું એકમાત્ર સમાધાન ફિલ્મ પર પ્રતિબંધ લાદવો જ છે. પદ્માવતમાં રાણી પદ્માવતીની ભૂમિકા દીપિકા પાદુકોણ, મહારાવલ રતન સિંહની ભૂમિકા શાહિદ કપૂર અને અલાઉદ્દીન ખિલજીની ભૂમિકા રણવીર સિંહે નિભાવી છે.
કાલ્વીએ ફિલ્મ વિશે જણાવ્યું હતું કે, અમે ક્યારેય તેમને ફિલ્મ બતાવવા માટે કહ્યું નથી. અમે તેને નવ ઇતિહાસકારોને તે ફિલ્મ બતાવવા માટે કહ્યું અને તેણે માત્ર ત્રણ લોકોને બતાવી. ઉપરાંત તેણે એ ત્રણ ઇતિહાસકારોની સલાહ પર પણ વિચાર ન કર્યો.
ફિલ્મના ડાયરેક્ટર સંજય લીલા ભણશાળીએ કાલ્વીને મોકલેલ પત્રમાં કહ્યું છે કે, રાજપૂત સંગઠન મુખ્ય મદ્દાથી ભટકી ગયા છે. પત્રમાં ભણશાળીએ લખ્યું છે કે, ફિલ્મમાં રાણી પદ્માવતીના સન્માન અને ગરિમાને જાળવી રાખવામાં આવી છે. સપનાવાળું બહુચર્ચિ દૃશ્ય માત્ર એક અફવા છે જેનો ઉલ્લેખ વિતેલા વર્ષ 29 જાન્યુઆરીએ મોકલવામાં આવેલ પત્રમાં કર્યો હતો. એવું કોઈ દૃશ્ય નથી. અમે તમને વિશ્વાસ અપાવીએ છીએ કે ફિલ્મ જોયા બાદ રાજપૂત સમાજ ગૌરવ અનુભવશે.
કાલ્વીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આ ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાની માગ કરી છે. તેમણે કહ્યું કે, ફિલ્મની રિલીઝ રોકવામાં નહીં આવે તો 24 જાન્યુઆરીએ જૌહર કરવા માટે 1908 ક્ષત્રિય મહિલાઓનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
નવી દિલ્હીઃ ફિલ્મ નિર્દેશ સંજય લીલા ભણશાળીએ રાજપૂત કરણી સેના અને અન્ય રાજપૂત સંગઠનોને ફિલ્મ પદ્માવત બતાડવા માટે આમંત્રણ આપ્યું છે. સંગઠનના સંરક્ષક લોકેન્દ્ર સિંહ કાલ્વીએ મીડિયાને સંબોધિત કરતાં કહ્યું કે, પદ્માવતની રિલીઝ ડેટ નક્કી થયા બાદ તેણે ફિલ્મ જોવા માટે આમંત્રણ આપવાથી સ્પષ્ટ થઈ જાય છે કે આ આયોજનબદ્ધ ચાલ છે.