તલત અઝીઝ અને સોનુ નિગમે તેમના જનાજાને કાંધ આપી હતી. આ દરમિયાન સંગીતકાર આનંદજી ભાઈ, ગીતકાર ઈરશાદ કામિલ, ગાયલ નિતિન મુકેશ, સંગીતકાર ઉત્તમ સિંહ પણ હાજર રહ્યા હતા.
'પદ્મભૂષણ' ખિતાબથી સમ્માનિત ખય્યામે ‘કભી-કભી મેરે દિલ મેં ખયાલ આતા હૈ’, ‘મેં પલ દો પલ કા શાયર હૂં’ જેવા ગીતોની ધૂન બનાવી હતી. તેમણે ઉમરાવ જાન, બાજાર, નૂરી, ફૂટપાથ, ત્રિશુલ, શોલા ઔર શબનમ, રઝિયા સુલતાન જેવી સુપરહીટ ફિલ્મો માટે સંગીત બનાવ્યું હતું. તેમને પદ્મ ભૂષણ અને સંગીત નાટક અકાદમી પુરસ્કારથી સન્માનિત પણ કરવામાં આવ્યા હતાં.
ખય્યામ વિશ્વયુદ્ધ સમયે સેનામાં હતા. પણ તેમણે સેના છોડી દીધી હતી અને પોતાના સપના પૂરા કરવાની આશા સાથે મુંબઈ આવ્યા હતા. ખય્યામે 1948માં ફિલ્મ હીર રાંઝામાં શર્માજી તરીકે ફિલ્મોમાં સંગીત આપવાની શરૂઆત કરી હતી.