તેણે એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે હુ બાહુબલી-3માં અભિનય કરવા માટે બધુ જ છોડી શકુ છું. આ ફિલ્મ મારી માટે પહેલી પ્રાથમિક્તા હશે. કાજલે કહ્યું તેને એ વાતનો અફસોસ નથી કે તેણે બાહુબલીમાં અભિનય નથી કર્યો પરંતુ તેને આ ફિલ્મને લઈને ગર્વ છે કે અંતરરાષ્ટ્રીય સ્તરની છે.
તેણે એક સવાલનો જવાબ આપતા કહ્યું કે બાહુબલી જેવી ફિલ્મો ખૂબ જ મોંધી હોય છે. તે રાજામૌલીથી ધણી પ્રભાવિત છે કે તેમણે અંતરરાષટ્રીય સ્તરની ફિલ્મો બનાવી છે.
જૂલાઈ 2015માં રિલીઝ થયેલી ફિલ્મ બાહુબલીએ 600 કરોડની કમાણી કરી હતી. તેમજ હિંદીમાં ડબ છયેલી પ્રથમ ફિલ્મ બની કે તેણે 100 કરોડની કમાણી કરી. આ યોજના મુજબ બધુ બરાબર હશે તો બાહુબલીની સીક્વલ 18 એપ્રિલ 2017માં રિલીજ થશે.