Election 2024 Exit Polls
(Source: Dainik Bhaskar)
બાહુબલિના ડિરેક્ટર હવે બનાવશે મહાભારત પર ફિલ્મ, બોલીવુડની કઈ હીરોઈન બનશે દ્રોપદી? જાણો
રાજામૌલી આ ફિલ્મમાં બોલીવુડના એવા મોટા સ્ટારને કાસ્ટ કરવા માગે છે જે આજદિન સુધી એક સાથે નથી આવ્યા. તે આ ફિલ્મના પ્લાન અનુસાર કાસ્ટિંગની તૈયારીમાં લાગ્યા છે. ઉપરાંત એવી પણ જાણકારી મળી છે કે, જો ટોપ સ્ટારકાસ્ટની સાથે આ ફિલ્મ બને તો આ બોલીવુડનો અત્યાર સુધીની સૌથી મોંઘો પ્રોજેક્ટ હશે. આમ તો બોલીવુડમાં મોટા સ્ટાર એક સાથે કામ કરવાનું ટાળતા હોય છે, પરંતુ રૌજમોલીની આ ફિલ્મમાં કામ કરવા માટે કદાચ બોલીવુડના સુપરસ્ટાર એક સાથે આવે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએક ઇન્ટરવ્યૂમાં આમિરા ખાને કહ્યું હતું કે, હું રાજમૌલીના કામનો મોટો પ્રશંસક છું. જો તે મહાભારત પર ફિલ્મ બનાવે છે તો મારી ઈચ્છા કૃષ્ણ અથવા કર્ણનો રોલ કરવાની છે. આમ તો હું કૃષ્ણ બનવા માગુ છું. મીડિયા અહેવાલનું માનીએ તો આ ફિલ્મમાં ત્રણેય ખાન સલમાન, શાહરૂખ અને આમિરની સાથે સાથે અમિતાભ બચ્ચન અને અક્ષય કુમાર પણ હોઈ શકે છે.
હિન્દી સિનેમાંની સૌથી મોટી ફિલ્માં એક નામ બાહુબલીનું આવે છે. દક્ષિણમાં બનેલ આ ફિલ્મને હિન્દીના દર્શકોને પણ ખૂબ આકર્ષિત કર્યા. આ જ કારણ છે કે ફિલ્મના બીજા ભાગની આતૂરતાથી વિશ્વભરમાં દર્શકો રાહ જોઈ રહ્યા છે. હાલમાં જ ફિલ્મના ડાયરેક્ટર એસએસ રાજમૌલીએ શૂંટિંગ પૂરું કરવા પર કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. ત્યાર તેમના બીજા પ્રોજેક્ટને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે. કહેવા છે કે, રાજમૌલીનો હવે પછીનો પ્રોજેક્ટ મહાભારત હોઈ શકે છે.
રાજમૌલી મહાભારત પર ફિલ્મ બનાવવા પર વિચાર કરી રહ્યા છે. કહેવાય છે કે, આ ફિલ્મ ત્રણ ભાગમાં આવશે. એટલું જ નહીં આ પ્રોજેક્ટમાં આમિર ખાને પણ કામ કરવાની ઈચ્છા દર્શાવી છે. મળતી વિગતો અનુસાર આ ફિલ્મમાં દીપીકા અથવા પ્રિયંકા ચોપરા દ્રોપદીનો રોલ નિભાવી શકે છે.
મહાભારત પર ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મ એક બે નહીં પણ ત્રણ ભાગમાં રિલીઝ થશે અને તેને બનાવવામાં અંદાજે 4-5 વર્ષનો સમય લાગશે. મહાભરત પર ટીવી સીરિયલ્સ અને ફિલ્મો ચોક્કસ બની છે પરંતુ બાહુબલીના ડાયરેક્ટરે આ ફિલ્મને સુપરહિટ બનાવવા માટે કંઈક અલગ જ વિચાર્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -